પુસ્તક એટલે જિજ્ઞાસુની પરબ.-તરુલતા મહેતા

"બેઠક" Bethak

મિત્રો ,

આજે આપણે એકબીજાનો હાથ મિલાવી મનગમતો દિવસ ઉજવીએ કારણ કે આપણી મૈત્રીનું કારણ પુસ્તકો છે .
પુસ્તક  એટલે જિજ્ઞાસુની પરબ.
રોજરોજની તડામાર પ્રવુતિમાં મારા જેવાને થાય કે ,
(પ્રિયતમ પિયુ મિલનની એકાંત પળોની  ઝન્ખના કરે તેમ સ્તો ) કયારે સમય મળે ને બારી પાસેના સોફામાં બેસી કોલેજકાળમાં ભજવેલું ‘રોમિયો જૂલિયેટનું ‘નાટક આજે વાંચું.આજે જગતના સુપ્રસિદ્ધ નાટ્યકાર ,કવિ શેક્સપિયરની બર્થ ડે વિશ્વભરમાં પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે.23મી એપ્રિલ 1564માં શેક્સપિયરનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો.મહાન પુસ્તકોના સર્જક સમય અને સ્થળની મર્યાદાને પાર કરી લોકોના હૈયામાં ,પ્રજાના પ્રાણરૂપે જીવે છે.એટલેજ તો ભારતના કાલિદાસનું ‘અભિજ્ઞાન શાકુન્તલમ ‘ને જર્મનીનો મહાન કવિ ગટે ખુશીનો માર્યો માથે મૂકી નાચ્યો હતો.ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમ્યાન ટૉલ્સ્ટૉયનાં પુસ્તકો વાંચી પ્રેરણા મેળવી હતી.મારી સાડી કે ડ્રેસ મારા બાહ્ય વ્યક્તિત્વનો પરિચય આપે પણ મારાં પુસ્તકોનું વાંચન કે મૂવી ,નાટકોની રુચિ કે મને ગમતા ગીતો મારાં માહ્યલાનો પરિચય છે.આપણી વચ્ચેનો પ્રેમ,મિત્રતા અને માનવતા જીવંત રાખે છે પુસ્તકો .

‘to be…

View original post 308 more words

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.