થાવ થોડા વરણાગી

સહિયારી અભિવ્યક્તિઓનું આ પ્રકાશન

                    

સંપાદક

પ્રજ્ઞા દાદભાવાળા

             સહિયારી અભિવ્યક્તિઓનું આ પ્રકાશન

 

અર્પણ

 

ડો. મહેશભાઈ રાવલ

“બેઠક”નું પ્રોત્સાહન

   

 

 

ગમતાંને ગમતું કીધું છે… બીજે ક્યાંય નમતું દીધું છે..

દરેક વાચકને

 

 

 

 

 

 

અનુક્રમણિકા

 

(૧) થાવ થોડા વરણાગી -ચીમનભાઈ પટેલ
(૨) થાવ થોડા વરણાગી (૨) હેમા પટેલ ૧૦
(૩ થાવ થોડા વરણાગી-(3)વસુબેન શેઠ ૨૩
(૪) થાવ થોડા વરણાગી-(૪)પ્રજ્ઞા દાદભાવાળા ૨૭
(૫) થાવ થોડા વરણાગી-(5) કલ્પના રઘુ ૪૦
(૬)- થાવ થોડા વરણાગી-દર્શના વારિયા નાટકરણી ૪૭
(૭)  થાવ થોડા વરણાગી-સાક્ષર ઠક્કર ૫૨
(૮)  થાવ થોડા વરણાગી”-(૮)પદમાં-કાન ૫૫
(૯)  થાવ થોડા વરણાગી-(૯) વિનોદ પટેલ ૬૬
(૧૦ થાવ થોડા વરણાગી-(૧૦) જયવંતી પટેલ ૭૪
(૧૧) થાવ થોડા વરણાગી-(૧૧)નિહારિકા શશીકાંત વ્યાસ ૭૮
(૧૨) થાવ થોડા વરણાગી.(૧૨) વિજય શાહ ૮૧
(૧૩) થાવ થોડા વરણાગી—-(૧૩)કુંતા શાહ ૮૯
(૧૪) થાવ થોડા વરણાગી (૧૪) મધુરિકા શાહ ૯૪
(૧૫)  થાવ થોડા વરણાગી (૧૫) પદ્માબેન શાહ ૯૭
(૧૬)અહેવાલ- ‘થાવ થોડા વરણાગી-રાજેશ શાહ ૯૯

 

પ્રસ્તાવના

થાવ થોડા વરણાગી

 આ પુસ્તકો ના વિષયની  પ્રેરણા મને આ ગીત ઉપરથી મળી હતી “ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી,વરણાગી એટલે પરિવર્તન અથવા બદલાવ અથવા સુશોભન અહીં હું આ પુસ્તકનાં “સર્જક” અને “પુસ્તકપરબ”ના પરિવર્તન ની વાત કહીશ શરૂઆત પુસ્તક પરબ થી થઇ એને પરિવર્તન સ્વરૂપે  “બેઠક” બનાવી અને બેઠકે એક એવો મંચ બે એરીયાના નવા સર્જક ને આપ્યો કે જાણતા અજાણતા પણ સર્જક ની અંદર ધરબાઈ ને પડેલી શક્તિ બહાર આવી અને વાચકોએ ક્ષણે ક્ષણે સર્જકને બિરદાવ્યા આ પુસ્તકમાં “વરણાગી” શબ્દને સર્જક એ પોતાના વિચાર થકી શબ્દમંત કર્યો છે. જે કોઈ લોકોએ વરણાગીપણું અનુભવ્યું માણ્યું અને જાણ્યું તે પોતાના શબ્દોમાં આલેખી જેમ છે,તેમ પ્રસ્તુત કર્યું છે. લેખન માં શણગાર છે. પણ અલંકારી શબ્દો નહિ પણ વિચારો જ લેખને વરણાગી બનાવે છે. શબ્દની દુનિયામાં અવાજનું નહિ અર્થનું મહત્વ છે, એ વાત બધા લેખકો પુરવાર કરે છે. દરેક લેખકે વરણાગી શબ્દને ક્યાંક સ્પર્શ્યો છે. એ જેમ વાંચતા જઈએ તેમ સમજાય છે. બીજી વસ્તુ આ પુસ્તકમાં વિવિધતા અપાર છે અને છતાં સમગ્ર પુસ્તકનું કેન્દ્ર બિંદુ વિષય “વરણાગી” જ છે. અહીં સાહિત્ય ના શોખીન અને સમજુ લેખકો વર્તાય છે. મને ખાત્રી છે આ પુસ્તક લોકોને વિચાર કરતા જરૂર કરશે જેટલી હું ગુજરાતી ભાષાની ઋણી છું તેટલા જ વાચક પણ છે એ આપણે સહુ જાણીએ છીએ પરંતુ એટલું જરૂર કહીશ કે આ પુસ્તકનાં સર્વ અધિકાર લેખકો સાથે આપને પણ નવાજવા માટે સ્વાધીન કરું છું. વરણાગીપણામાં તમારા અભિપ્રાયો તમારી સમજણ અને તમારા સ્વભાવને વ્યક્ત કરી દેતાં હોય છે. જુના અને જાણીતા લેખકો ને વાંચવા એમાં કંઈ ખોટું નથી પણ નવા ઉગતા લેખકને અપનાવવામાં આપણું વરણાગીપણું સહજ દેખાય છે . આપ સર્વે માનો કે ન માનો પણ આ પુસ્તકનાં લેખો વાંચ્યા પછી લેખક તમને શોધે તે પહેલા તમે જ સામે ચાલીને એને શોધશો એમાં કોઈ શક નથી 

-પ્રજ્ઞાજી-   

 

થાવ થોડા વરણાગી-(૧)ચીમનભાઈ પટેલ

વિચારો સાથે નવી ટેકનોલોજી અપનાવો અને થાવ  થોડા વરણાગી

 

 

ટેકનોલોજી એ તો ભાઈ, અમને મોર્ડન કરી દીધા

નાના-મોટો ને કોમ્પ્યુટર પર બેસતા કરી દીધા! ‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીધા!

ટેક્નોલોજીતો ભઇ વધી રહી છે જુઓ ચારે કોર, ગુણાકાર ને ભાગાકાર બધાને ભૂલવા કરી દીધા!

સવારના પહોર માં નિયમિત નહાવાનું જે છોડીને, ‘ઇમેલ’ના સરોવર માં ડૂબકી મારતાં કરી દીધા!

ખાવા નો ચસકો બધાનો જુઓ વધતો જાય છે આજે, ‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરીદીઘા!

પૈસા પડાવનાર પાત્રો વધી રહ્યા જુઓ અહિ પણ? વિમાનો ને વહાણ ઉપર કથા ઓ કરતા કરી દીધા!

સમયની મારામારી વધી ગઈ છે ઘેર ઘેર આજે તો, સંડાસ માં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરીદીઘા!

‘લેક્સસ’ ને ‘મરસીડીઝ’માં આમતેમ ફરો છો તમે, અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીધા?

કથા ઓ કરાવી ને પણ વ્યથા ઓ કોઈની ઘટી નથી, ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીધા?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો, ઇર્ષા માં એક બીજાના જુઓ પગ ખેંચતાણ કરી દીધા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન ‘હવે? ‘ઇલેક્ટ્રિક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીધા!

Chiman Patel ‘chaman’

http://chimanpatel.gujaratisahityasarita.org

થાવ થોડા વરણાગી (૨) હેમા પટેલ

પ્રકૃતિમાં નવ રસ સમાયેલા છે. શાંતિ – ભક્તિ – રૌદ્ર – ક્રોધ – હાસ્ય – અદભુત – બિભત્સ – શૃંગાર – વીર.

આ નવ રસમાં પ્રકૃતિ રાચે છે. દરેક મનુષ્યમાં આ રસ  વધારે ઓછા પ્રમાણમાં જોવા મળે. દરેક ના સ્વભાવ પ્રમાણે બધા રસ નુ પ્રમાણ રહેલું છે. આ બધા રસો નુ મળ છે, સત્વગુણ – રજોગુણ – તમોગુણ. આ ગુણો જેનામાં જેટલા તીવ્ર હોય એ પ્રમાણે દરેક વસ્તુમાં વ્યકિના ભાવ અને રૂચિ હોય છે. મોટે ભાગે સ્ત્રીઓ માં શ્રૃંગારિક રસ વધારે હોય છે અને આ કુદરતી રીતે જ દરેક સ્ત્રીમાં સમાયેલો હોય એટલે દરેક સ્ત્રીને શણગાર સજવાનો શોખ હોય એ સ્વાભાવિક છે,આભૂષણ, સજવું સંવરવું એમાં તેની રુચિ હોય. કોઈ વધારે શણગાર સજે કોઈ ઓછા. પરંતુ એક પણ સ્ત્રી  શ્રીંગાર રસથી બાકાત ન જોવા મળે. દરેક સ્ત્રીની ઈચ્છા હોય તે સુંદર દેખાય, તેને માટે તે તેની ઈચ્છા અનુસાર કપડાં ,ઘરેણાં, પહેરે, મેકઅપ કરે. કપડાંની સાથે સાથે મેચિંગ સેંડલ અને પર્સ જરુર હોય. જાણીએ છીએ ત્રણ વર્ગમાં સમાજ જીવે છે, ગરીબ-શ્રીમંત અને મધ્યમ વર્ગ ,જેવું જેનું સ્ટેટસ તે પ્રમાણે તેના શણગાર. તેમાં પણ ઓફિસ ના માટે જુદા, પાર્ટી માટે જુદા, લગ્ન ના જુદા,ઘરમાં તેમજ શોપિંગ ના જુદા પ્રસંગને ધ્યાનમાં રાખીને સજવાનુ. આજના યુગમાં ફેશન માં ફરવાનુ કોને ન ગમે ? ભારતમાં કોલેજમાં ભણતી ઘણી છોકરીઓ એવી હોય જે ફેશન પાછળ એટલી ગાંડી-ઘેલી થઈ જાય છે, ફેશન પુરી કરવા માટે પૈસાની જરૂર પડે તેના માટે ઉંધા રસ્તા અપનાવતા પણ ડરતી નથી. પોતાને ભાન પણ નથી રહેતું તે કયે રસ્તે જઈ રહી છે, જીંદગી બરબાદ થઈને રહે છે.

વરણાગી ને બીજા અર્થમાં ફેશન કહી શકાય. આધુનિક યુગમાં જ્યાં ફેશન ની વાત થાય ત્યારે મોઢામાંથી ચોક્કસ શબ્દ સરી પડે “ અરે ફેશન અધધ ! “ હા સમય પ્રમાણે ફેશન બદ લાતી રહે છે.નીત નવી ફેશન જોઈને  દાદા-દાદી  જરુર બોલશે આ ફેશન ને તો માઝા મુકી છે. આ છોકરીઓને જરાય લાજ-શરમ નથી , કેવા કપડાં પહેર્યા છે ? અડધું અંગ તો ખુલ્લું ! અંગ પ્રદર્શન ની જાણે હરીફાઈ ચાલી હોય એવું લાગે છે,દુનિયા ક્યાં જઈને અટકશે ? ઘોર કળિયુગ આવી ગયો છે. આવી છોકરીઓને તો ભગવાન બચાવે. ઘરમાં આટલા સોનાના દાગીના પડ્યા છે અને ખોટા નકલી ઘરેણાં પાછળ પૈસા બરબાદ કરે છે. સોનુ લીધું હોય તો કાલે ઊઠીને જવાબ આપે આ નકલી તો કૂવામાં ફેંકવાનુ. અસલી હીરા છોડીને ખોટા પથરા પાછળ પૈસા બગાડવાના. અમારા જમાનામાં જો અમે આવા ફરીએ તો અમારા બાપા અમને એક થપ્પડ ચોક્ક્સ મારી દે. અમને અમારા મા-બાપ ની બીક હતી સમજી વિચારી ને ફેશન કરતાં હતાં આજકાલ ની છોકરીઓને બીક અને શરમ જેવું કંઈ છે નહી, બસ મનમાં ફાવે તેમ કરો, કોઈ નુ સાંભળવું નથી. આજની ફેશન એ તો સત્યાનાશ વારી દીધું છે. દાદી રાડો પાડતા જ રહે તેમને આજકાલ ની છોકરીઓ સાંભળવાની છે ? તેમને માટે પૈસા મહત્વના નથી ફેશન મહત્વની છે.

ફેશન યુગથી ચાલી આવી છે. શકુંતલાનુ કોઈ પેઈન્ટીંગ જોઈએ તો તેમાં તેના શણગાર માટેના આભૂષણ ફુલોથી બનાવેલો જોવા મળે, માતા સીતાના વનવાસ દરમ્યાન ના ચિત્ર જોઈએ તો તેમાં પણ તેમના આભૂષણ ફૂલથી બનાવેલા દેખાઈ આવે. સમય બદલાઈ તેમ પરિવર્તનને કારણ આભુષણોમાં બદલાવ આવે. સ્ત્રીઓ ને ફેશન કરવી ગમે છે. પુરૂષને તો કપડાં માં જ ફેશન જોવા મળે, બીજી કોઈ ફેશન હોય નહી.આભુષણોમાં વીંટી અને ચેન વિના બીજા કોઈ ઘરેણા પહેરાય નહી. હા ભગવાનનું સ્વરૂપ આપણે ઘરેણાથી લદબદ કરી દીધુ છે. ભગવાન ને આભૂષણ પહેરાવીએ છીએ અને સાચે જ  ભગવાન ને  શોભે પણ છે. જુના વખતમાં રાજા-મહારાજા આભૂષણ પહેરતા. ભપ્પીલહેરી જેવા કોઈ અપવાદરૂપ હોય જેના શરીર પર બે કિલો સોનું હમેશાં હોય આતો શોખ ની વાત છે, તેમનામાં કદાચ શ્રૃંગારિક રસ ભગવાને મૂક્યો હોય, એમાં ખોટું પણ શું છે ? લોકશાહી તંત્રમાં બધા ફ્રી છે. ભગવાન આભૂષણ પહેરે તો સામાન્ય પુરુષ કેમ ન પહેરી શકે ? શણગાર સજા એ કોઈ સ્ત્રીઓની જાગીર થોડી છે. પુરૂષો ચાહે તો શણગાર કરીને વરણાગી કરી શકે, જોઈને એવું લાગે કદાચ ફિલ્મ કે નાટકમાં ભગવાન કે રાજા નુ  કોઈ પાત્ર ભજવી રહ્યા હશે.

આપણી હિન્દુ સંસ્કૃતિ ના સ્ત્રીના અસલ શણગાર ક્યારે જોવા મળે જ્યારે એક છોકરી દુલ્હન ના વેશમાં હોય પગથી માથા સુધીના શ્રીંગાર, અતિ સુંદર અને અદભુત ! સુંદર દ્રષ્ય ! અપ્સરા સમું સ્વરૂપ ! તેનુ રૂપ નીખરી આવે. દુલ્હન સામેથી નજર હઠે જ નહી, એને નીરખ્યા જ કરો. આ એકજ એવો પ્રસંગ છે જ્યાં એક સ્ત્રી સોલ શણગાર સજીને સજ્જ હોય છે.

સંસાર છોડીને ભગવાં ધારણ કરીને સંન્યાસ લીધો હોય તે સ્ત્રીઓની વાત અલગ છે જે પોતાની મરજીથી બધા શણગાર ત્યજી દે. સંસાર ત્યજો એટલે તેના જીવનમાં ફેશન જેવી કોઈ વસ્તુ ન રહે. બિચારી વિધવા ને નાની ઉંમર હોય કે મોટી ઉંમર તેને ફેશન કરવાનો કોઈ અધિકાર હો તો નથી. સગાં-સંબંધી જ તેને તેના શણગાર ઉતારવા નુ કહે તેનુ સાચું ઘરેણું તેનો પતિ છે, પતિ મરી ગયો એટલે તેણે શણગાર સજીને સુંદર દેખાવાની જરૂર નથી એમ સમાજ માને. જોકે સમય બદલાઈ એટલે રિતી-રિવાજોમાં પરિવર્તન આવવા થી હવે સમાજ કે પરિવારના લોકો કોઈ એટલા સ્ટ્રીક નથી., ઘણી બધી છૂટ મળે છે. જુના સમયમાં એક વિધવા માટે બહુજ કડક નિયમ હતા. અત્યારે બધું બદલાઈ ગયું છે, કોઈ પણ કલર ના કપડાં પહેરી શકે. સમય બદલાયો છે તેને હવે  બિચારી કહેવું યોગ્ય નથી.

વર્ષો પહેલાં લગ્ન વખતે છોકરી ના દાંત ને પણ રંગવામાં આવતા હતા, જે રંગ કાયમ માટે દાંત પર રહે. રંગ થોડો આછો થાય પરંતુ મરતાં સુધી રહે. નાની હતી છતાં પણ મને બરાબર યાદ છે, મારા બંને ફોઈ ના દાંત ગુલાબી રંગના હતા. ફોઈ જ્યારે સાસરે થી અમારે ઘરે આવે ત્યારે નાનપણમાં કુતુહલ પૂર્વક સવાલ કર્યો હતો, ફોઈ અમારા દાંત સફેદ છે તમારા ગુલાબી કેમ ? ત્યારે ફોઈએ સમજાવ્યું હતું લગન વખતે દાંત ને રંગવાનો રિવાજ હતો એટલે અમે પણ દાંત રંગ્યા હતા. કેવી રીતે દાંત ને રંગવામાં આવે તે આખો પ્રોસેસ કહ્યો હતો પરંતુ તે વખતે ઉંમર નાની હતી યાદ નથી. હા એ યાદ આવે છે કહેતા હતા મોઢું સોજાઈ જાય ચાર દિવસ સુધી અમે ખાઈ શક્યા ન હતાં.

હવે જોઈએ તો સ્ત્રીનું એક પણ અંગ શણગાર વિના બાકી હોય છે ? વાળની સજાવટ, જુદી જુદી હેર સ્ટાઇલ તેના પર તાજા કુલો- વેણી કે ગજરા ! અત્યારે તો જુદી જુદી વસ્તુઓ થી ડેકોરેશન ! આંખ-કાન-માથુ-કપાળ-હોઠ-નાક-દાંત-ગળું-હાથ-બાજુબંધ- આંગળી-કમર-પગ, દરેક અંગના ઘરેણા અને તેમાં પણ દરરોજ નવી વિવિધતા, એક નાનકડી માથાની બિંદી, કેટલી બધી વિવિધતા. બધા આભુષણોમાં દરરોજ નવી ડિઝાઈન. નવી ડિઝાઈન આવે એટલે સ્વાભાવિક છે આપણી આંખોની નવી ડિઝાઈન ગમે એકની એક જોઈને થાકી ગયા હોઇએ એટલે જ્યાં નવી ડિઝાઈન આવી ત્યાં સ્ટોર માં તેને માટે પડાપડી. આ પરિવર્તનનો નિયમ છે. આ સંસારમાં કુદરત નો નિયમ છે, જડ-ચેતન બંનેમાં પરિવર્તન આવ્યા જ કરે છે. એક જોતાં તો પરિવર્તનને કારણ ફેશન બદલાતી રહે તેમાં કેટલા બધા લોકોને રોજી મળી રહે છે. સ્ત્રીઓના શણગાર થકી તો લોકો વેપાર – ધંધો કરીને લખપતિ અને કરોડપતિ બન્યા છે. દરેક દેશમાં બ્યુટીપાર્લર ના ધંધા પુર જોશ માં ચાલે છે. ઘણી વખત વિચાર આવે, જાણે સ્ત્રીઓ ને લીધે દુનિયા ચાલી રહી એવું  નથી લાગતું ? જો સ્ત્રીઓ ફેશન ન કરતી હોત તો મિલમાં બનતા મટીરિયલ્સ, સૌન્દર્ય પ્રસાધન, હીરા અને સો નાના વેપારીઓ, ફેશન ડીઝાઈનરો, દરજી, એમ્બ્રોડરી વર્ક કરતા અરે ગણવા બેસીએ તો યાદિનો મોટો ચોપડો લખાય. સ્ત્રીઓ ને લીધે વેપાર-ઉદ્યોગ ચાલી રહ્યા હોય એવું લાગે છે. ફેશન ને કારણ ઘરની અંદર ખર્ચા પણ સ્ત્રીઓના વધારે હોય. જેની પત્ની સમજદાર હોય તે તો નસીબદાર છે. જો પત્ની ફૅશનેબલ હોય તો પછી તો પૂછવું જ શું. ફેસબુક પર શોઓફ કરવાની ઘણાને બહુ ટેવ હોય છે. એક દિવસ જોયું હતું એક છોકરીએ લખ્યું માય ન્યુ કાર લેક્ષસ, બીજે જ દિવસે તેની બહેનપણી લખ્યું માય ન્યુ કાર મર્સીડીસ, બંનેએ ફોટાઓ સાથે ગાડીઓ મુકી હતી અને લખ્યું હતું. હવે આવી પત્ની જો મળી જાય તો પતિની શું હાલત થાય.

જુના સમયમાં સાસરામાં વહુ માટે ઘણી બધી મર્યાદા, રહેતી રિવાજ,બંધન ને કારણ તેને સમાજે બાંધેલા નિયમમાં રહેવું પડતું હતું. નવી દુલ્હન અને નાની વહુ ઓ પગમાં પાયલ પહેરે એટલે જ્યારે ચાલે ત્યારે તેના અવાજથી સસરા અને જેઠ ને ખબર પડે વહુ પસાર થઈ રહી છે એટલે ત્યાંથી થોડા આઘા પાછા થઈ જાય જેથી મર્યાદા સચવાઈ રહે. આજે તો સાપ ગયા અને લિસોટા રહી ગયા જેવી વાત છે. સાસુ-સસરા, વહુ ને દિકરી સમાન માને માટે કોઈ મર્યાદાઓ હોતી નથી. સમય અને રિતી-રિવાજોમાં પરિવર્તન આવવાને કારણ વહુ અને સસરા બાપ દીકરીની જેમ વાત કરી શકે છે.

જાત જાત ના અને ભાત ભાત નાં કપડાં, આપણા ભારતમાં કપડાં અને આભુષણોની જેટલી વિવિધતા છે એટલી દુનિયાના કોઈ દેશમાં નહી હોય. દરેક રાજ્ય અને પ્રદેશ પ્રમાણે વેશ તે પ્રમાણે ફેશન.ફેશનની કૉપી ફિલ્મો માંથી વધારે થાય છે, દરેક છોકરીને ઐશ્વર્ય રાય બનવું હોય. તે ક્યાંથી શક્ય બને ? ડીઝાઈનરો પણ પોતાના સ્વાર્થ ખાતર અંગ પ્રદર્શન થાય એવી ડિઝાઈન બજારમાં મુકે.અત્યારનો સમય જોઈએ તો ફેશન ને કારણ જ દુનિયામાં બળાત્કાર ના કેસ વધી રહ્યા છે. ટુકાં ખુલ્લા કપડાં પહેરવાથી તમે પશુ વૃત્તિવાળા માણસોને ખુલ્લે આમ આમંત્રણ આપી રહ્યા છો. ફેશન પણ દેશ-પ્રદેશ, આબોહવા,વાતાવરણને અનુકુળ થાય તો બરાબર કહેવાય, જે ફેશન પોતાને કોઈ હાની ન પહોચાડે. હા થોડા વરણાગી થવાનું પણ ફેશન ની મર્યાદા ઓળંગીને નહી. વરણાગી કરવી એ ખરાબ નથી પરંતુ તેની લીમીટમાં રહીને થાય તો શોભી ઉઠે.ખરેખર તો જેટલી સુંદરતા સાદગી માં છે એટલી ફેશન કરવાથી રહેતી નથી. સાદગી માં રહેતી વ્યક્તિનું મન અને તેના વિચારો તેના ચહેરા પર ઊપસી આવે છે. કોઈ પણ વ્યક્તિ તેનુ મન વાંચી શકે. સાદગી એ તો ભગવાને આપેલું કુદરતી સૌન્દર્ય છે, જે હમેશાં ખીલી ને શોભી ઊઠે છે. એક નાનું બાળક છોકરો હોય કે છોકરી તેણે ક્યાં વરણાગી કરી છે છતાં પણ નાનું બાળક કેટલું વહાલું લાગે છે, પારકું હોય તો પણ પ્યારું લાગે આપણે તરત જ રમાડવા બેસી જઈએ.અત્યારે ફેશન શેમાં નથી ? બધી જ વસ્તુમાં ફેશન ! ફોન-ટીવી-ઘડિયાળ ,જીવન જરૂરિયાત ની બધી જ વસ્તુમાં પરિવર્તનને કારણ ફેશન. ૨૧ મી સદી છે ,આખી દુનિયા ફેશન માં જ જીવી રહી છે. કપડાં અને ઘરેણામાં નહી તો બીજી રીતે, આમ જોવા જઈએ તો આ યુગને ફેશન યુગ કહીએ તો ખોટું નથી તેમાં રહેનારા કોઈ બાકાત કેવી રીતે રહી શકે ? જમાના સાથે કદમ મલાવીને ન ચાલીએ તો એક બાજુ ફેંકાઈ જવાય, જે પ્રવાહ ચાલી રહ્યો છે તેની સાથે મનથી કે કમનથી ચાલવું જ પડે છે માટે બધાજ જાણે અજાણે ફેશન ના રંગ માં રંગાઇ જવાના છે,જો તેમાંથી બચવા માગીએ તો કોઈ સામેથી આવીને આપણને ચોક્કસ કહેશે“ તમે થોડા થોડા થાવ વરણાગી “

 હેમા પટેલ

થાવ થોડા વરણાગી-(૩)વસુબેન શેઠ

અમે બે બહેનો, મોટા બેન રૂપાળા, તંદુરસ્ત, વાળ સુંદર એટલે એ જયારે પણ બહાર જાય ત્યારે સરસ ​તૈયાર ​થાય ને જાય. અને અમને બધુ​ ​જ શોભતુ​.​ હું શામળી​,​નબળી। નાનપણ થીજ મગજમાં એક​ ​જ વાત હતી કે હું કશું પણ ​પહેરીશ ​ કે શણગાર સજીસ તો પણ મને નહી શોભે​.ઉંમર ​થઈ એટલે મારા લગ્ન લેવાયા ‘જિંદગી માં પહેલી વાર હું તેયાર થઈ​.​મારી સખી આવીને મારા કાન પછવાડે ટીલું કરી ગઈ​.​મેં મારી જાત ને અરીસામાં જોઈ,મને મારામાં ઘણો ફેર લાગ્યો​.​આદત થી મજબુર એટલે લગ્ન પછી પણ હું જેવી હતી તેવી થઇ ગઈ​.​મારા નણદ હરતા ફરતા ગાતાજાય ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી​.​તેજ દિવસથી મારા માથામાં ​કરંટ ​પસાર થયો.નક્કી કર્યું કે મારે હવે થોડું વરણાગી થવું​.​મનમાં થોડો ડર હતો કે મારા પતિ મને ઠપકો આપશે​,​કહેશે આપણને આ બધું ના શોભે​ ​પરતું મારા વખાણ કર્યા​.​મને તો પ્રોતસાહન મળી ગયું​.​આમ કરવાથી આત્મવિશ્વાસ ​વધવા માંડ્યો બસ ​ હવે ​મારી ​ રોજ-બરોજની જિંદગીનો ભાગ​ ફેશન ​ બની ગઇ છે​.​ત્યાર થી ફિલ્મ જોવાનું વધી ગયું​.​બરોબર ધ્યાન થી જોતી કે કોણે શું પહેર્યું છે​.​અંબોડો કેવો વાળ્યો છે​.​ બસ શરુ થઈ ગયો જીવન​માં ​ બદલાવ​,​પણ એક દિવસ ભારે પડી ​ગયું મારું ​વરણાગી​પણું ​​​​.​.​એ દિવસે પિકચરમાં જોએલી ઇરોઇન જેવા હિલવાળા સેન્ડલ પણ હું લઇ આવી.ટાઈટ સાડી પહેરીને તેયાર થઇ​.​અંબોડો વાળ્યો અને ફુલ પણ નાખ્યું પણ જાણો છો શું થયું? પગથીયા ઉતરતાજ ધબાક દય ને પડી​.​હા.​ ફેશન કરતા એક મહિનાનો ખાટલો થયો, હીલ્સ પહેરવી ​હતી ​પછી પગ ​ભાંગે ​ત્યારે દુખી પણ થાવું ​જ પડે ને !​​ પણ​ મારા પતિ કહે ચંપલ ન પહેરતી પણ ​અંબોડો સારો લાગે છે બસ ત્યારથી ચકલીના માળા જેવો અંબોડો વળવાનું તો ચાલું રાખ્યું​.​ ગુલાબનું ફૂલ કાન પછવાડે તો અચુક નાખવાનું​.​જાતજાતના બીબા થી ચાંદલા તો કરવાના​.​ચાંદલો મોટા કપાળ માં શોભે એટલે કપાળમાં નડતા વાળને ખેંચી કાઢ્યા​.​હવે લાગે છે કે સ્ત્રી સોળ શણગાર થી શોભે એ વાત જરૂરી નથી​.​હા પણ ફેશનને લીધે મને મારું મહત્વ સમજાયું ,બેન ગોરી અને હું કાળી એ વાત મારા મનમાંથી સદાય માટે નીકળી ગઈ. વરણાગીતો ​ રેડિયો પર આવતા હતા અને પ્રોત્સાહિત કરતા , પણ ​રેડિયો ગયો ટીવી આવ્યું​.​ફોનના ડબલા ગયા આય ફોન અને આય પેડ આવ્યા​.​ પંખા ગયા એસી આવ્યું​.​સાઇકલ ગઈ કાર આવી ​….​ઉમર થઈ ધોળા વાળ આવ્યા ​…..​અરે બ્યુટી પાર્લર માં જવાનું વધી ગયું​….​ જેમ મેં પહેલા કીધું તેમ આદત સે મજબુર​,​જીવન અધ્યાત્મિએક​તા તરફ ​વાળ્યું ​ તો પણ વરણાગી તો રહી​……​પોતાના બનાવેલા ભજન ગાવા​….​હાથે બનાવેલા વાઘા ભગવાન ને પેરાવવાના​ ​અને પોતાના ઢાળ માજ ગાવું ;​ફેશને મને આત્મવિશ્વાસ અપાવ્યો,આ વિચારોનું વરણાગીપણું હતું. …હું જે સર્જન કરું એજ ફેશન એ વાત પાકી થઇ ગઈ ​.

-વસુબેન શેઠ-

 

થાવ થોડા વરણાગી-(૪)પ્રજ્ઞા દાદભાવાળા

 

વરણાગી વેલનટાઈન ડે ઉજવ્યો ,

આમ તો ભારતમાં હતી ત્યારે પ્રેમ માત્ર ગજરો કે સાડી મેળવી વ્યક્ત કરાતો હતો,પ્રેમમાં માગણી કે અપેક્ષા ઓછી હતી હા ક્યારેક સ્ત્રીઓ રિસાતી ત્યારે કહેતી “ઝટ જાઓ ચાંદન હાર લાવો ઘૂંઘટ નહિ ખોલું”…પરંતુ ક્યાંય અપેક્ષા ન હતી,..હા, પહેલા આજ રીતે પ્રેમ વ્યક્ત થતો હતો પણ જમાના સાથે જાણે બધું બદલાય છે મારી દીકરી કહે છે મમ્મી તમે થાવ થોડા વરણાગી અને લ્યો બસ આજ વરણાગીપણા ને કવિતામાં વ્યક્ત કરું છું.

વેલેન્ટાઈને પ્રેમ પર હાસ્ય કવિતા

વેલેન્ટાઈને નાના-મોટોઓને પ્રેમમાં પડતા કરી દીઘા,​​ ‘સેલ-ફોન’ પર પ્રેમનો એકરાર કરતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર, કબુતર અને પ્રેમ પત્ર ભૂલી, ઈમેલ કરતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત જોગીંગ કરવાના ​બહાને,  અત્તર છાંટી કાર્ડ અને ગુલાબ વેચતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ એમ થોડો છુટે છે, ​​વેલેન્ટીન ના નામે ચોકલેટ​નો વેપાર કરતા ​કરી દીધા!

​ઝાંઝર ​વેણી અને ગજરો અંબોડા ને​ ઘૂંઘટ ​ ભૂલી, પ્રેમમાં છુટા વાળ ,હવામાં ઉડાડતા કરી દીધા!

શરમાવા કરમાવાની વાત છોડી દયો ​પ્રજ્ઞાજી, ​ જાહેરમાં પ્રેમનો એકરાર કરી,​​ચુંબન ​કરતા કરી દીધા!

-પ્રજ્ઞાજી-

(૨)અને હું થઇ વરણાગી ​…

​પરિવર્તન એજ વરણાગીપણું એ હું અનુભવે શીખી। ..ફેશન અને સ્ત્રી બંને હંમેશા સાથે ને સાથે રહ્યા છે.વરણાગી શબ્દ સ્ત્રીના સાજ શણગાર અને તૈયાર થવા માટે વપરાય છે-(શણગાર કરેલી શોભા) એ જ હું જાણતી.મારા મામા મારી મમ્મીને  કયારેક કહેતા બ્હેન હવે થોડા થોડા થાવ વરણાગી બસ એથી વધારે કઈ નહિ। …  મોર્ડન શબ્દનો પ્રયોગ ખુબ થતો. મારી મમ્મીએ એકવાર મારા પપ્પા ના આગ્રહથી પેન્ટ પહેરી ફોટો પડાવ્યો હતો.ત્યારે બધા મશ્કરી કરીને કહેતા વાહ તમે તો મોર્ડન  થઈ  ગયા.

ત્યારે હું માત્ર નવ વર્ષની હોઈશ મારા મામા સિંગાપુરથી મારા માટે ખુબ સરસ સેન્ડલ લઇ આવ્યા હતા,મારા મામા સિંગાપુર અને માસી આફ્રિકા રહેતા તેનો ફાયદા રૂપે મને નવા કપડા અને વિવિધ વસ્તુ ઓ મળતી ,હું જયારે પહેરતી ત્યારે સૌ ખુબ વખાણ કરતા,મને ત્યારે ફેશન કે આધુનિકતા વિષે ખબર ન હતી ,માત્ર હું બીજાથી જુદી અને ખાસ દેખાતી એજ મનમાં થતું જે  ખુશ કરતુ હતું ..મને યાદ છે મારી માસીની દીકરી દક્ષા ​એ એકવાર મને એના ઝગમગતા લાલ ચણીયા ચોળી પહેરવા આપ્યા હતા ,.સંજોગોવાત ત્યારે નવરાત્રી હતી મેં ગરબો લીધો મામાએ આપેલા સેન્ડલ પહેર્યા અને બધાને ઘરે જઈ ગરબા ગાઈ આવી। …બધા મારા વખાણ કરતા અને કહેતા કેવી સરસ લાગે છે અને ​સાચું કહ્યું ​બધા સામે ભાવ મારીને આવતી​ ત્યારે ​હું સુંદર છું એવું મારા કપડા એ મહેસુસ કરાવ્યું​.અને હું અજાણતા ફેશનેબલ થઇ ગઈ…બસ આજ વરણાગીપણા ની મારી ઓળખ

ત્યાર બાદ મેં મારી મમ્મી પાસે “સાધના” ફિલ્મની ઇરોઇન જેવા વાળ કપાવવાની જીદ કરી આ મારું પહેલું ફેશનનું અનુકરણ।…વરણાગી એટલે ‘સ્ટાઇલભાઇ’‘સ્ટાઇલ’.મે એમની ફેશન અપનાવી​…​.જાણતી વ્યક્તિની નકલ કરી પણ મારી પોતાની કોઈ ફેશન કે આધુનિકતા જેવું કઈ નહિ​…​સારા તૈયાર થઈએ તો બધા વખાણ કરે અને હું પણ કૈક છું તેવો અહેસાસ થાય….​થોડો ભાવ અને કોન્ફિડન્સ ​હવે આવવા માંડ્યા હું સુંદર હતી પણ કપડાથી હું વધારે નીખરું છું

​અને મોર્ડન દેખાવ છું ​

એવું મને લાગ્યું અને અજાણતા  ફેશને મારા જીવનમાં સ્થાન લઇ લીધું,

​મારા પપ્પા આમ જોવા જઈએ તો થોડા મોર્ડન ખરા। ..​

જેમ મોટી થઇ તેમ મમ્મી સિંગાપુરથી આવતા ચાઇનીઝ છોકરી જેવા ટુકા કપડા ન પહેરવા દેતા.એક દિવસ મમ્મીએ મામાને કહ્યું ભાઈ બહુ ટુંકા કપડા ન લાવો હવે એ મોટી થઇ ગઈ છે.પણ​ મમ્મીને કેવી રીતે સમજાવું કે મને  ​હવે બધાને ઈમ્પ્રેસ કરવાનું મને ​ગમે છે ​.છુટા વાળ મોર્ડન કપડા પહેરી નીકળતી  ત્યારે છોકરાવ મને જોતા મને થતું હું નવા કપડાથી બધાને આકર્ષી શકું છું..​ મારા  કપડા દરજીને મારી ડીઝાઇન મુજબ સીવવા આપતી.ડીઝાઇનર બનવાની વાત મનમાં ઠસી ગઈ.પણ મારા લગ્ન લેવાણા અને મનની મનમાં રહી​,​લગ્ન થયા સંયુક્ત કુટુંબમાં હું બધાથી નાની ​અમે ત્રણે વહુઓ ​માથે ઓઢતા ,બાપુજી સામે ક્યારેય ખુલા માથે ન જવાય ..​હું મમ્મીને ફોન કરતી અને કહેતી મમ્મી આવી સાડી પહેરી માથે ઓઢી ક્યાં સુધી રહેવાનું પહેલા હું કેવી લગતી હતી અને હવે જો સાવ દેશી ઘરેલું તને ખબર છે ને મને ફેશન કરવી કેટલી ગમે છે  બધા મારા મિત્રો કહે છે હું પહેલા જેવી નથી રહી…મારા પતિની મિત્ર​ ​મને મણીબેન કહે છે​.​મા​રી ​​ ​મમ્મી ​ખાસ હોશિયાર નહિ કે મને કોઈ દિવસ જ્ઞાનના બે વાક્યો આપી શકે તેવી પણ નહિ પણ છાપામાં વાચ્યું હોય તે ક્યારેક દેખાડી બોલતી ​કહેતી ​​જો વાંચ શું લખ્યું છે ​માણસ જે ગઈકાલે હતો એ આજે નથી અને આજે છે એવો આવતી કાલે રહેવાનો નથી.હું પણ ગઈકાલે હતી એવી આજે ક્યાં છું….મારી જિંદગીનો વળાંક કહો કે બદલાવ ખુબ ડરામણો હતો ​એમ ​કહો હું મારો આત્મવિશ્વાસ ગુમાવતી હતી..મમ્મી કહેતી માણસ દરરોજ નવો હોય છે, એજ પરિવર્તન। ..માણસ દરરોજ જુદો હોય છે, દરરોજ થોડોક બદલાતો રહે છે… મમ્મી કહેતી પરિવર્તન સાથે ચાલો અને એમાંથી જિંદગીને શોધી કાઢો,તારા ઘરને એમના વિચારને માન આપી ઘરમાંજ રહે સમય આવતા બધું મળશે.રોજ નતનવા કપડા ગમતા પણ એ શક્ય નહતું , અંતે ત્રણ વર્ષે તક મળી હું પ્રેગનેન્ટ હતી તબિયત સારી ન હતી એટલે ​પિયર જવા મળ્યું ,​ઘરમાં આરામ કરતી મારા પાપાએ સમય મળતા મારી સર્જન શક્તિ કામે લગાડી, ​ઘરમાં બેસી લોકોના કપડાને ડીઝાઇન કરવાનું શરુ કર્યું પછી તો બાળકો થયા,બાળકો હોવા છતાં કામ થતું આવક થતા બળ વધ્યું અને સાથે હિમત પણ, ​ઘરના કામકાજ માટે નોકરો રાખતી.શોખ આવડત અને ધગસ ભેગા થતા નામના કમાણી અને એકવાર મારી બ્હેને મને લંડન બોલાવી ​પરદેશ​માં મને પહેલી તક એણે આપી.હું ખુબ ઘબરાતી, અંગેજી બોલતા ન આવડતું ,એ શનિ રવિ રાજાના દિવસોમાં મને મારી બહેન અને બનેવી  દુકાને દુકાને લઇ જતા ,બ્હેન ઘરમાં પ્રદર્શન કરતી મને પ્રોત્સાહન આપી હિમત આપતી, પહેલવેલું જીન્સ સાથે કાઠીયાવાડી ભરત લંડનમાં મેં પ્રદર્શનમાં રજુ કર્યું અને લોકોએ આવકાર્યું …​ખુબ ઓડર મળ્યા કામ કર્યું મહેનત કરી,આમ પણ ફેશનના વેપારમાં ક્યારેય મંદી નથી હોતી અને હું કામમાં વ્યસ્ત થઇ ગઈ.મારી મમ્મી અને પપ્પા ખુબ ખુશ થતા ​.​એક દિવસ પપ્પા કહે ​ ​તે તારી પસંગીના શોખને આવકનું સાધન બનાવ્યું ​છે એ ​સારી વાત છે પણ જો ​ માત્ર ​ફરિયાદો કરી હોત તો તેનું કંઈ ​મળવાને બદલે એટલી જિંદગી વધુ વેડફાતે,જેને જિંદગી જીવવી હોય એ જીવવા જેવી અને જીવવા જેટલી જિંદગી શોધી જ લેવાની હોય છે! તે પણ આજ ​કર્યું છે.​તું પાછી ફેશનેબલ થઇ ગઈ ​પરિવર્તન ​લઇ આવી..​ અમને ગૌરવ છે ​પણ યાદ રાખજે વરણાગીપણાની પહેલીપહેલી શરત એ છે કે સમયને અનુકૂળ થતાં શીખી જાવ…​બદલાવ, કે પરિવર્તન,અચાનક આવેલા પરિવર્તનને ​બધા સ્વીકારી નથી,શકતા પણ સ્વીકારી તેમાંથી રસ્તો શોધે એ મરજીવાની જેમ કૈક પામે છે. પરિવર્તન તમારા અભિપ્રાયો તમારી સમજણ અને તમારા સ્વભાવને વ્યક્ત કરી દેતા હોય છે.​તારા પરિવાર ને ઘરને સાચવી ને આગળ વધજે.મારી મમ્મી ​એક સાધારણ ગૃહણી ​​ની જેમ કહ્યું ​…​ મેં કહ્યું પપ્પા યાદ છે  ​સૌ પ્રથમ મેં મારા ચણીયા ચોળી ​મમ્મી ​ લગ્નની સાડી વાપરી બનાવ્યા હતા મને ​ડીઝાઇન ​કરવા એમણે પ્રેર​ણા ​દીધી​.મમ્મી ​મને ​કહ્યું હતું કે ​મોઘાં ફેશનેબલ કપડા ન પોસાય તો બનાવી તો શકાય ને? અને હું એક ડીઝાઈનર બની ​ પપ્પા ​મને આગળ વધવાની બધી તક આપતા પણ સાથે મને સમજાવતા ……દરેક માણસ જિંદગી ગતિ કરે તેમ એ બદલાતો જાય છે. બહુ ઓછા લોકો હોય એવા અથવા તો હોવા જોઈએ એવા રહેતા હોય છે.તું આગળ વધે છે એ મારું ગૌરવ છે​.​મમ્મી ધીરેથી  બોલ્યા પણ આ ​ ખુબ લપસણી જગ્યા છે ​હંમેશા યાદ રાખજે અભ્યાસ, ડિગ્રી, સફળતા, સંપત્તિ, હોદ્દો, એવોર્ડ્સ અને માન-મરતબો માણસને બદલાવતો રહે છે..આ બધા ​પરિવર્તનના લક્ષણો છે..માનવીએ પરિવર્તન ને અપનાવું એ કઈ ખોટું નથી પણ જયારે આપણે ​જ આપણાથી જ દૂર ચાલ્યા ગયા હોઈએ એવું ભાસે ત્યારે માત્ર અટકવાની જરૂર છે….

મમ્મી  તમારી વાત તો સાચી છે ,બધા કહે છે તું હવે બહુ બદલાઈ ગઈ છે. પહેલાં તો એ કેવી સીધી અને સરળ લાગતી હતી ..પણ પપ્પા કહેતા જો કોઈ આવું કહે ને બેટા તો એ એની માનસિકતા છે.ડરવાનું નહિ! આ પરિવર્તનનો અસ્વીકાર છે .તું કહે હું કે આપણે પણ આવું સ્વીકારી શકીએ છીએ?.આપણે કદાચ સ્વીકારી લઈએ પણ શાંતિથી વિચાર સ્વીકારવું એટલે શું ?શું આપણે માણસને એની ગઈકાલ સાથે સરખાવતાં રહીએ છીએ?.​ એ લોકો તારા ભૂતકાળને સરખાવે છે.આપણે ​સફળ વ્યક્તિની ​આવતી કાલે એ ક્યાં હશે એ વિચારીએ છીએ ?ક્યારેક વિચાર આવે કે ​શું ​જે બદલાઈ જાય એનો અફસોસ ​આ લોકો કરે છે ? અને કરે તો ​કરવો વાજબી છે ખરો? માણસ સમય અને સ્થિતિ પ્રમાણે બદલાતો પણ હોય છે અને એ ​જેવો છે તે ​જ રહે એવું પણ જરાયે જરૂરી નથી.બહુ ઓછા લોકો માણસ આજે કેવો છે એ વિચારે છે. .મારી મમ્મી ​સલાહ ન આપતી પણ તેમના સવાલ મને વિચારવા માટે પ્રેરતા એ ​ખુબ ભણેલી નહિ ​પણ એની વાતો માં અનુભવનો નીચોડ હતો ​.​જે મને સદાય દિશા દેખાડતો..

હું મારી દીકરીઓને બધી ફેશન કરવા દેતી ,સારામાં સારા કપડા સાથે બ્રાંડ નેમ પણ..એકવાર મારી દીકરી સ્ટેજ પર પ​ર​ર્ફોમન્સ આપવાની હતી. ગ્રાન્ટ પ્રેકટીશ વખતે મેં ટીચરે મંગાવેલા કલર મુજબ એના સુંદર ફ્રોક મોકલ્યા એક નહિ બે થી ત્રણ। .જેથી પસંદગી રહે પણ કોણ જાણે કેમ ટીચરે મારી દીકરી સારું ગાતી હોવા છતાં તેને ભાગ લેવા ન દીધો।.અને​ કહ્યું આ કપડા સાથે તું ભાગ નહિ લે। ..​ તેને એકલી વર્ગમાં મૂકી ચાલ્યા ગયા.નેહાના મનમાં એક વાત ઘર કરી ગઈ કે મારી પાસે સારા કપડા ન હતા માટે જ ટીચરે મને ના પાડી નેહા રડી ખુબ રડી તાવ આવી ગયો શાળામાંથી ઘરે આવી ત્યારે લાલ ચહેરો ,સૂજેલી આંખો ,એકબંધ નાસ્તાનો ડબ્બો ,અને તાવથી ધગતું શરીર। .હું ખુબ ડરી ગઈ ,મારે બીજી સવા મહિનાની બાળકી …..હતી તેથી શાળા માં જાતે ન ગઈ પણ ફ્રોક મોકલાવ્યા હતા… .બીજે દિવસે હું જાતે સવા મહિનાની બાળકીને લઈને ગઈ શાળાએ શિક્ષિકાને ​ફરિયાદ કરી અને કહ્યું મારી છોકરીની આ હાલત કરવા માટે છાપામાં ફરિયાદ કરીશ.મારી છોકરી ને તમારે કોનસૅરટમાં લેવી જ પડશે.. .નેહા ખુબ ડરેલી હતી સ્ટેજ પર ગાશે કે નહિ ખબર ન હતી તેમ છતાં પણ મેં કહ્યું આ ફેશનેબલ કપડા નહિ એના અંદરના કલાકારને ઓળખો એ ખુબ સરસ ગાય છે આવાજ પણ મધુર છે.​કેળવેલો પણ ,બસ માત્ર આપ એને ગાવા​નો એક મોકો આપો ​.મેં મારી દીકરીને હિમ્મત આપી.નેહાને કહ્યું ​કપડાના ​બ્રાન્ડની જરૂર નથી …વ્યક્તિ જ ​બ્રાન્ડ ​ ​હોવો જોઈએ અને હું જાતે ત્યાં સ્ટેજ સામે ઉભી રહી .. તેણે ખુબ સરસ ગાયું… તે દિવસે ફેશન ની હાર હતી ..ફેશન માણસને આત્મવિશ્વાસ આપે છે પણ જેના થકી આત્મવિશ્વાસ ખોવાય તે વરણાગીપણું (ફેશન) શું કામના.?હા છતાં અહી વરણાગીપણું હતું જ! …વિચારો થી બદલાવ! ..પરિવર્તન એક વિકાસ!.. આત્મવિશ્વાસ, જડ માન્યતા અને ડર સામેના સંઘર્ષ નો અંત…સાથે સાથે અંદરનો કલાકાર બહાર આવ્યો! . ​મોંઘા કપડાથી મહત્વ જરૂર મળે છે પરંતુ  (ભપકો) ખોટી વરણાગીતા મહત્વની ખરી….?અને અનુભવે સમજાવ્યું કે માણસે બ્રાન્ડેડ કપડા પહેરવાની પળોજણ છોડી પોતાની બ્રાંડ બનાવવી જોઈએ ત્યાં જ વરણાગી પણું છે.

પ્રજ્ઞા દાદભાવાળા-કેલીફોર્નીયા -યુ.એસ.એ.

https://shabdonusarjan.wordpress.com

થાવ થોડા વરણાગી-(૫) કલ્પના રઘુ

જીવનમાં જે નથી કર્યું, એ કરવું … જરા હટકે … તે વરણાગીપણું સૂચવે છે. સમય, સંજોગો અને સગવડતા પ્રમાણે માણસમાં વરણાગીપણું આવવા માંડયું છે. આજકાલ ‘વરણાગીપણુ’ શબ્દ સર્વ વ્યાપી બનીને ધસમસતુ ઘોડાપુર બનીને વહી રહ્યો છે. આ ભાગદોડની ભીડમાં સૌ દોડતાં થઇ ગયા. ઘર, સડક કે સોસાયટીમાં વરણાગીનો સ્વાંગ સજીને બહેરૂપીયા નજરે પડતાં થઇ ગયા. આધુનિકતાનાં ધસમસતાં ઘોડાપુરમાં કંઇક લોકો ઘસડાયાં. જે વહેણની સાથે ના ધસડાયા તે ઠીંગરાઇ ગયાં. પથરાં બનીને પડી રહ્યાં. આ પથરાં કંઇકને નડયા. કેટલાયને ઠોકરો વાગી. જીવન વહેતી નદી છે. ગમે કે ના ગમે વહેવા માંડો. નહીં તો ઘોડાપુરમાં ડૂબી જશો. સાથે વહેનારાં સાથ છોડશે. અને માથેથી પાણી વહી જશે. તમારૂં નામોનિશાન નહીં રહે.

અમારા જમાનામાં … બોલનારને, જૂની ઘરેડને ફગાવીને, તેમાં ફેરફાર કરીને આગળ વધવું તેનું નામ આધુનિકતા એવું આજની પેઢી માને છે. ધાર્મિક ગ્રંથો, વેદ-પુરાણોને બદલવા આજની પેઢી જંગે ચઢી છે. લલચાવનારા આકર્ષણો અને અગણિત નીત નવી શોધોએ સમગ્ર જગત પર કાબુ જમાવ્યો છે. આ ક્ષણે છે તેનાથી કંઇક અલગ કરવાની હામ છે, જુસ્સો છે, જુવાળ છે આજની પેઢીમાં અને તેનુ દર્શન-પ્રદર્શન ચારે બાજુ જોવા, અનુભવવા મળે છે. ‘જુનુ એટલુ સોનુ’ આ વિચારવુ જૂનવાણી કહેવાય છે. બસ, મન મૂકીને આજમાં રાચો … અને આજમાં માણો … ઘરનો કામ કરનાર હોય કે માલિક, દરેક પોતાની રીતે વરણાગીપણુ સ્વીકારવા હરિફાઇમાં ઉતર્યા છે.વરણાગી બનવા જરૂરીયાતો વધી છે અને તેના લીધે ખર્ચા વધ્યા છે. તેને પહોચી વળવા સ્ત્રીએ ઉંબરો ઓળંગવો પડયો છે. તેથી સમગ્ર સમાજ વ્યવસ્થામાં વરણાગીપણુ જોવા મળે છે અને તેનાં પરિણામો આજનો સમાજ ભોગવી રહ્યો છે તેની અસર આવનાર પેઢી પર જરૂર પડશે. અને તે જોવા, અનુભવવા અને સહન કરવા આજની પેઢીએ તૈયાર રહેવું પડશેજ.

જો વરણાગીપણુ તેની મર્યાદા સાથે સૌ અપનાવે તો સુંદર, આધુનિક સમાજ જોવા મળે. નવીનતા કોને ના ગમે? પરંતુ દરેક વસ્તુ તેની મર્યાદામાં જ શોભે તે સિધ્ધ થયેલુ છે. કોઇના વાદે આધુનિક બનવા જઇએ પરંતુ શારીરિક, માનસિક, આર્થિક કે સામાજીક રીતે આપણા માટે એ બંધ બેસતુ ના હોય તેના પરિણામો હાસ્યાસ્પદ, હાંસીપાત્ર અને આઘાતજનક આવે છે. પરંતુ આપણી ઉંમરને, મોભાને, કુટુંબને અને સમાજને અનુરૂપ વરણાગી બનવુ એ ખૂબ જરૂરી છે.

પશુ-પંખી, ફૂલ-છોડ અને કુદરતમાં પણ કંઇક નવીન ફેરફારો આપણી આંખને ટાઢક આપે છે, સાતા આપે છે, તો માનવની તો વાતજ શી કરવી? રોટી-કપડા-મકાન માનવ માટે જેટલાં જરૂરી છે તેટલોજ તેમા વરણાગીપણાનો સાથ હોવો અતિ આવશ્યક છે. જીવનના દરેક તબક્કે કંઇક નવું કરવું … શ્રીકૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે, ‘પરિવર્તન હી જીવનકા નિયમ હૈ … ‘ કૃષ્ણની નટખટ લીલાઓથી તો કૃષ્ણ શામળો હોવા છતાં રંગીલો હતો. આજકાલ મંદિરોમાં મૂર્તિઓની વેશભૂષામાં, અન્નકૂટમાં અને ધાર્મિક ઉજવણીઓમાં પણ વરણાગીપણાએ પ્રવેશ કર્યો છે. ઇશ્વરને પણ તે પ્રિય છે.જયારે વિજ્ઞાન જેટગતિએ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે તેમા પણ વરણાગી બનવુ ખૂબ જરૂરી છે. અને તોજ નીત નવી શોધખોળો શક્ય બનશે. જેટલી શોધખોળો વધશે તેટલાં આધુનિક ઉપકરણો શોધાશે. અને તેને અપનાવીને આજનો માનવ વરણાગી બનશે. તોજ આ યુગમાં તાલ મીલાવીને આજની પેઢી સાથે રહી શકશે.

કુટુંબમાં પ્રસંગોમાં પણ વરણાગીપણુ જોવા મળશે તો તેની ઉજવણીમાં દરેકને આનંદ આવશે અને આ તો છે જીવન. બાકી તો શબવત્‍ જીવન વ્યક્તિને સ્થગિત કરી દે છે. દર મહિને ઘરમાં અંદરની ગોઠવણીમાં કે ઘર બહારની ફૂલછોડની ગોઠવણીમાં નવા ફેરફારો આંખને અને અતિથિને જોવા અવશ્ય ગમશે.વરણાગીપણું એકધારા જીવનમાં નવા રંગો ભરે છે, નવો શ્વાસ ઉમેરે છે, તેનાથી આયુષ્ય વધે છે તેવો આભાસ થાય છે. જીવન સાથેના તાલમેલમાં સરળતા આવે છે. દરેક નવી સવારે વરણાગી બનવાથી સોનાનો સૂરજ ઉગતો હોય તેવું લાગે છે. અરે! ડોસા-ડોસી પણ વરણાગી બને અથવા વરણાગી બનવાનો ડૉળ કરે તો જાણે તેમની યુવાની પાછી આવી હોય તેવો ભાસ થાય છે. વૃધ્ધાવસ્થામાં વૈરાગીપણા કરતાં વરણાગીપણુ મારી દ્રષ્ટિએ વધુ આવકાર્ય છે. અને માટે મને આ તબક્કે ડોસા-ડોસીનું વરણાગી બનવાનુ ગીત લખવાનું મન થઇ આવ્યું છે. અને મારી દરેક ડોસા-ડોસીને વરણાગી બનવાની ભલામણ છે. વરણાગી ના બનાય તો વરણાગી બનવાનો ડૉળ તો કરવોજ રહ્યો …

વ્હાલ કરે છે, વ્હાલ કરે છે,

એક ડોસી ડોસાને વ્હાલ કરે છે,

વરણાગી બનવાનો ડોસી ડોળ કરે છે… વ્હાલ કરે છે

મંદિર જવાને બદલે પાર્લરમાં જાય છે,

આઇબ્રો અને ફેસીયલ કરાવતી જાય છે,

ઘૂમટાને હટાવી જુઓ સાડી પહેરે છે,

સલવાર કમીઝમાં ડોસી શોપીંગ કરે છે…વ્હાલ કરે છે

ડોસો પણ જુઓ કમાલ કરે છે,

સૅલફોન, ફેસબુક પર ચોંટી રહે છે.

ગાર્ડનમાં મોર્નિગ વૉક ને નાઇટમાં પાર્ટી,

ડોસો છે રંગલો, ડોસી છે રંગલી… વ્હાલ કરે છે…

આઇ લવ યુ બોલીને પ્રેમી પંખીડા,

હાય અને બાય કહેતા ફરે છે.

ડોસો પણ ડોસીને વ્હાલ કરે છે,

વરણાગી બનવાનો ડોસો ડોળ કરે છે… વ્હાલ કરે છે

વ્હાલ કરે છે વ્હાલ કરે છે,

ડોસો ડોસી આપસમાં વ્હાલ કરે છે… વ્હાલ કરે છે…

આમ વરણાગીપણું જીવનમાં દરેક તબક્કે આવકાર્ય છે … જીવનને વહેતુ, ધબકતુ રાખવા માટે ‘થાવ થોડા વરણાગી’. કલ્પના રઘુ

થોડા થાવ વરણાગી-(૬)-   ડૉ.દર્શના વારિયા નાડકર્ણી

 

 

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

નવી દુનિયા હવે જાગી

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

વરણાગી બહેનીના વરણાગી ભાઈ બનો,

થોડી રસોઈ કરો ને થોડી રોટલી વણો,

અમ બહેનો કેરો ભ્રમ જાય ભાંગી,

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે છોડો તમે લટકો ને આંખડીનો મટકો

જુઓ સ્માર્ટ લલનાઓ છે જાગી

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી

ઓ ભાઈ તમે થોડા થોડા થાવ વરણાગી

ફૂટબોલનો મેળાવડો આવડો તે હોય મોટો

બિઅર ની બોટલોનો ખડ્કડો છે સાવ ખોટો

હવે જુના બધા વેશ દ્યો ત્યાગી

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

બાળકોના daiper બદલાવો

તરલા દલાલ ની ચોપડી ને એપ્રન મંગાવો

હવે નવયુગની વાંસલડી વાગી

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી

ઓ ભાઈ! તમે થોડા થોડા થાવ વરણાગી.

 

Darshana 

(૨)

પોતે રીટાયર થયા અને તુરંત જ કૃષ્ણકાંત ભાઈ નું અવસાન થયું એટલે ખાલીપો અને એકાંત ખુબજ વધી ગયું અને સારીકાબેન ને જીવન માં રસ ઓછો લાગતો।  તેમના દીકરા અક્ષયે કહ્યું “મમ્મી હવે પપ્પાને ગયા ને ઘણો વખત થયો હવે તમારે રડવાનું બંધ કરીને જીવનમાં રસ લેવો જોઈએ”.  પુત્રવધુ ઉમા પણ જોડાઈ “હા મમ્મી પપ્પ્પા ગાયનું દુખ તો અમને પણ થાય છે પણ જીંદગી તો ચાલતી રયે અને તમારે હવે આખો વખત રડવાનું બંધ કરવું જોઈએ.  ઘરની પાસેજ સીનીઅર સેન્ટર છે તેમાં જાવ ને દિલ ને વાળી  લ્યો.”  વળી તેમાં દીકરી અનીકા જોડાઈ “મમ્મી તારા કપડા પણ ઢબ વગરના છે.  થોડી થા વરણાગી અને હવે શોક નું વાતાવરણ બંધ કર”.છોકરાઓ પાસેથી ઠપકો સંભાળીને રાત્રે એકાંતમાં સારિકા બેન ને ખુબ રડવું આવ્યું કે કૃષ્ણકાંત ભાઈ હોત તો આટલું સાંભળવાનું ન આવત.  પછી મનને મનાવ્યું કે છોકરાઓ તો પ્રેમ ને લાગણી ને લીધે ક્યે છે.  ધીમે ધીમે સારીકાબેન સીનીઅર સેન્ટર માં પણ જવા લાગ્યા અને જીવન નો ક્રમ ચાલવા લાગ્યો.  થોડા વર્ષો પચ્છી તેમણે છોકરાઓને બોલાવ્યા અને તેમના દોસ્ત સાથે ઓળખાણ કરાવી “આ છે મારા દોસ્ત, બીલી ચુઆ”.  અક્ષય બોલ્યો ઉમાના કાનમાં “આને તો કુતરાથી ભગાડવો પડશે”.  બીલી ચુઆ સાથેની ઓળખાણ બાદ તુરંત સરીકાબેને ખુલાસો કર્યો કે “મેં અને બીલીએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે”.તેમના આ નિર્ણયે તો છોકરાઓની જીંદગી હચમચાવી મૂકી.  છોકરાઓ આ વાત નો કોઈ પણ રીતે સ્વીકાર કરવા માંગતા નતા.  ઉમા કહે “મમ્મી આ ઉમરે આવું થોડું શોભે?  બધી રીતે તમારી જીંદગી સરસ ચાલે છે.  તમે તમારા પોતાના મકાન માં આરામ થી રયો છો.  અમે પાસે છીએ અને હમેશા આવતા રહીએ છે અને તમને કોઈ વાતની કમી લાગવા દેતા નથી.  તમે સીનીઅર સેન્ટરે જવાનું બંધ કરો અને મંદિરે જવાનું શરુ કરો અને હવે તો રામનામમાં જીંદગી ગુજારો”.  સારીકાબેને  સમજાવવાની કોશિશ કરી કે “બીલીની વાઈફ પણ થોડા સમય પહેલા ગુજરી ગઈ છે અને અમારો બધી રીતે સારો મનમેળ છે.  ચાઇનીસ હોવા છતાં તે ગૌતમ બુદ્ધ માં માને છે અને પોતે વેજિટેરિયન છે.  અમને બંને ને વિદેશ ફરવાનો શોખ છે અને બધી રીતે અમારો મનમેળ સારો છે અને અમને લાગ્યું કે એકબીજાના સાથી બનીને બાકીની જીંદગી ગુજારીએ”.  અક્ષય કહે “પણ મમ્મી, જાત ભાત નો તો વિચાર કર”.   સારીકાબેને હળવેથી કહ્યું “બેટા, આપણી રીચા ના લગ્ન તુરંત માં એલેક્ષ સાથે થવાના છે, તે પણ આપણી  જાત નો તો નથી”.  અક્ષય કહે “પણ મમ્મી જે રિચાને શોભે તે તારી  ઉમરે તને ન શોભે”.

આખરે સારીકાબેને  કહેવુજ પડ્યું કે “બેટા તમે સમય જોઇને જરૂરિયાત ને માપવાની બદલે ક્યારેક જરૂરિયાત જોઇને સમય ને પરખો અને જરૂરિયાત પ્રમાણેની વર્ણતુક અપનાવો.  થાવ થોડા વરણાગી”.

ડૉ દર્શના વારિયા નાટકરણી

Darshana V. Nadkarni, Ph.D.
Updates on Twitter @DarshanaN

Blog – http://darshanavnadkarni.wordpress.com

()તમે થાવ થોડા વરણાગી-સાક્ષર ઠક્કર

 

મિત્રો ,દર્શનાબેને ભાઈઓને સલાહ આપી કે અમેરિકા આવ્યા છો તો હવે તમને કપડા ધોવાનું ,લોન્ડ્રી કરવાનું અને વાસણ ધોવાનું  લાઇસન્સ મળી ગયું છે અને સુખી થવું હોય તો વરણાગી થઇ જાવ ,અને 

કલ્પનાબેને તેમની કવિતામાં ડોશી ને રજુ કર્યા તો 

 લ્યો।.. આજે સાક્ષર પણ કાકા ને સલાહ આપે છે કે  કાકી મંદિર જવાને બદલે પાર્લરમાં જાય છે,આઇબ્રો અને ફેસીયલ કરાવતી જાય છે,તો તમે પણ વરણાગી થઇ જીન્સ પહેરવા માંડો તો સારું। ..પછી જોવો કેવી જોડી જામે છે.  થોડાં થાવ વરણાગી……………હવે થોડાં થોડાં, તમે થોડાં ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગીમહોમદ રફીને છોડો, હવે હની સિંગ બનોઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગીછાપું છોડીને કાકા ટેબ્લેટ વાંચો હવેઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગીફેસબુક પર થોડા ઘણા સેલ્ફીઓ ચીપકાવોપણ કાકા તમે થોડા થોડા થાઓ વરણાગી.  તમે થાવ થોડા વરણાગી-(૮)પદમાં-કાનખાવાની વાત તો માની લીધું ખાવાનું મન થયું ને ખાઈ  લીધું પણ કપડામાં પણ ફેન્સી  ડ્રેસ કોમ્પીટીશનમાં ઉતર્યા હોય તેમ તમે ગણેશોત્સવમાં અને નવરાત્રમાં માતાજીને નવાંનવા ડ્રેસમાં શણગારેલા જોશો..ને કપડા હોય તે પ્રમાણે અલંકાર તો જોઈએને?હીરા માણેક મોતી ને જાત્ જાતના અલંકાર .ભગવાનને ખુશ રાખવા ભક્તો શું શું નથી કરતા?ભગવાનને ભારે વસ્ત્રોમાં ANEALNKARMA અલંકારોમાં શણગારતો તેનો પુજરી રાંક કેમ રહી જાય?તેમના સ્ટેટ્સ પ્રમાણે તેના પૂજારીનો પણ થાટ,રૂઆબ દેખાવો જોઈએને/વળી હવે તો માલિક અને નોકર સમાન,એમ પણ માનવાવાળા હોય છે.પહેલા પુજારીને જોતા તો એક ધોતી ને જનોઈ ને ખેસ. હવે વરણાગી થવામાં આ કોઈની ટીકા નથીપણ બદલાયેલા જમાનાનું દ્રશ્ય છે.ખાસ કરીને સાઉથના પુજારી તમે  જોશો તો દસે આંગળીએ  વેઢ ,ગળામાં ભારી ચૈન,અને કાનમાં રૂડા કુંડલ શોભતા.સરસ રીતે તેયાર થયેલા એ બધાને જોવા ગમે છે આનંદ આવે છે પણ હા હજી એક વસ્તુ યાદ આવી ગઈ .હવે તો પગમાં,પહેલા તો રાજા મહારાજાઓ જ હીરા મોતી જડિત મોજડી પહેરતા હશે. ને હવે તો?જવા દો  એ વાત જ .દેખા દેખી ક્યાં જઈ અટકશે?લાંબા પાછળ ટુંકો  ધાય મરે નહી તો માદો થાય!થોડામાં સમજી લેજો.“ થોડા  થાવ વરણાગી”એમાં બે સંદેશા છુપાયા છે થાવ વરણાગી એટલે તમે જ્યાં છો ત્યાંથી આગળ વધો.જો એ પ્રગતિ ન હોય તો તમારું જીવન સ્થગિત બની જાય. કુદરતમાં નિરીક્ષણ કરીશું તો હર ક્ષણે હવા, હવામાન બદલતું રહે છે.ને એ બદલાતી હવા આપણને જીવંત રાખે છે. આજે આધુનિકતાનો વિચાર છે એ જીવનનો મૂળભૂત પાયો છે.જો એ ફેરફારનો દૃષ્ટિકોણ ન આવે તો બંધિયાર પાણી જેવું થઈ જાય એક જ સ્થીતીમાં પડે પડે શરીરમાં કીડા પડી જાય, પાણીમાં જીવાત થઈ જાય, ઘરને ઉધઈ લાગી જાય,ને કપડા પણ પડે પડે ગેડ્માંથી બેસી જાય છે એટલે દરેક ક્ષેત્રમાં પરિવર્તનની આવશ્યકતા છે. ઋતુઓમાં બદલાવ જેમકે ઠંડીથી તમે કંટાલ્યા કે હાશ હવે ઠંડી ગઈ ને ઉનાળાની ગરમીને આપણે અવકારીયે છીએ.પણ ગરમી ઉપર ગરમી વધી જતા માણસ તોબા પોકારી જાય છે ને તેનાથી અકળાઈ જાય છે,ત્યારે વરસાદની ચાતકની જેમ રાહ જોઈએ છીએ.પણ એ પુર બહારમાં આવી જાય તો અક્લ્પ્ય વિનાશ નોતરે છે.આપણામાં એક્ કહેવત છે કે રસના ચટકા હોય ,રસના કુડા ન હોય.તો આવી જાવ એ રસના ચટકાને માણવા ,સાથે હાથનો કરો લટકો ને આંખનો કરો મટકો! પણ હવે આ ઉતરતી વયમાં?કેવી રીતે ?મથાળામાં એટલે કે તમારા માથામાં “થોડા” શબ્દને હીરાના નંગની જેમ જડી દો બસ.ને જયારે તમે કઈ નવું કરવા જશોને એ વખતે “થોડા” નંગ ઝબૂકવા લાગે ત્યાં થોડો રેસ્ટ કરી લેશોને થોડું શાંતિથી વિચારી લેશો તો ધીરે ધીરે પણ તમે સસલાની રેસ જરૂર જીતી જશો.ના આગે , ના પીછે!આપણું તંદુરસ્ત હોવું એ પણ વરણાગી છે.યોગા વ્યાયામથી તનને અને સારા વાચન, વિચારથી મનને હૃષ્ટ પુષ્ટ રાખી શકાય.દેહને શણગારવું શોખ પુરા કરવા એ ઉંમર ઉમરની જરૂરિયાત છે ને કરવા જોઈએ.આ બધું અલ્પ સમય માટે છે.માટે કવિએ શરુઆતમાં જ”થોડા” એ  થોડા શબ્દ કહીને આપણને સજાગ કરી દીધા છે.હવે આવ્યો ખાવાનો પ્રશ્ન.ઇન્ડીયામાં કોઈ મહેમાન જમવાના હોય તો પહેલા તો લાડવો,શીરો,કે લાપસી.ફરસાણમાં ક્યારેક ભજીયા કે પાતરા.તેમાં પણ સુધારો થતા દૂધપાક જાતજાતની બાસુદી.આ તો આપણા માટે મિષ્ટાન એટલે ભગવાન.પણ અહિયાં તો કોઈ જમવાનું હોયતો નવી નવી ડીશ જેમ કે ચાયનીઝ ફૂડ,થાય ફૂડ,પાસ્તા,ને કાંદા લસણ વગર તો ચાલે જ નહી.એટલે મારે માટે ઘરે તો જુદું બનાવે.પણ બહાર જવાનું થાય ત્યારે થોડો પ્રોબ્લેમ આવે.થોડો વખત આમ ચાલ્યું.પણ હું ના સુધરીઆચાર. વિચારમાં પણ પરિવર્તનની જરૂર છે.તમારી બોલવાની ભાષામાં પણ ખાસ કારણ કે તમે જે બોલશો તે સામેવાળાના કાનમાં થઈ સીધું હ્રદયમાં ઉતરી જશે,તોછડાઈથી બોલાયલા અને પ્રેમથી બોલાયલા શબ્દો નકારાત્મક અને સકારાત્મકમાં પરિણમશે. નકારાત્મક સંબંધ ભંગ કરાવશે જયારે સકારાત્મક સંબંધોને  આગળ વધારશે ને પ્રેમ  વધારતો જશે.પ્રેમ કરવો એ તો વરણાગીમાં અતિ આવશ્યક છે.તમારા પ્રેમાળ સ્વભાવથી ભલભલાને તમે પોતાના કરી શકશો.પ્રેમનું વર્તુળ વધતા તમારા આનંદનું વર્તુળ વધતું જશે.તમે બીના દવા ઉપચાર કરી શકો છો.મેં તો એમાં ઝંપલાવી દીધું.અગિયાર દિવસની સાધના પછી તમે તેનો ઉપયોગ કરી શકો.મને તે મોકો તરત જ મળ્યો.મારા પાડોશીને હું મળવા ગઈ તેનું માથું દુખતું હતું તેથીતે થોડી નરમ હતી.મને થયું કે અહી મારા રેકીનો ઉપચાર કરી જોઉં?તેને ના કહેતા મેં તેને રેકીની સારવાર બે ત્રણ મિનીટ જજમાનાની સાથે ચાલતા ચાલતા મને લાગે છે કે હવે  જમાનો મારી સાથે ચાલેછે.છે તેનું હું અભિમાન નથી કરતી પણ એક અનોખા પ્રકારના આનંદની અનુભૂતિ મનમાં જરૂર થાય છે. અરે !એક વાત કહેવાની તો રહી ગઈ! ૮૩ વર્ષની ઉંમરે હું કમ્પ્યુટરમાં ગુજરાતીમાં ટાઇપ કરતા શીખી એનો અતિ આનંદ છે.આ માટે હું પ્રજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર માનીશ.મને પ્રોત્સાહનનું પેટ્રોલ મળે છે અને મારી ગાડી દોડી રહી છે. બે વર્ષ પહેલા હું ઇન્ડિયા ગઈ .ત્યાં એક ડોક્ટર હિલીન્ગનો કોર્સ કરાવતા હતા.મેં તે શીખવા માટેની ઈચ્છા દર્શાવી.બે થી  ત્રણ વાર એવું બન્યું કે હું જયારે પુછુ તો હમણાં જ મારો ક્લાસ થઈ ગયો એમ કહેતા.ચોથીવાર તો તેમને મેં કહી દીધું કે આ વખતે હું શીખ્યા વગર જવાની  નથી ત્યારે તેમણે કહ્યુ કે આ વખતે તમે એકલા હશો તો પણ શીખવીશ.ક્લાસ શરુ થયો અમે છ થી સાત જણા હતા.એમાં બે ત્રણ લેડીઝ હતી ને ત્રણ સીનીયર ભાઈ હતા.છેલ્લા દિવસે પેલા ત્રણ સીનીયર ભાઈએ મને  મને કીધું કે માસી,અમે ક્લાસમાં નોતા આવ્યા અમે તો તમને જોવા આવ્યા હતા.આનાથી વધારે વરણાગીપણું આ ઉંમરમાં શું હોઈ શકે?હા, આધ્યાત્મિક ક્ષેત્રે શીવયોગ સાધનામાં અને ગાયત્રી પરિવારમાં જતા તેમાં મારી ઉન્નતિ થાય એવી અપેક્ષા રાખું છું.આ લખવાની કલા એ શું વરણાગી નથી?       આવી વિચારસરણી ધરાવતા ઘણા જૂની પેઢીના માણસોની સ્થિતિ કુવામાંના દેડકા જેવી હોય છે.જુના માણસો જો એમના જુના આગ્રહોને વળગી રહે અને સમય પ્રમાણે એમની વિચાર સરણીમાં જો ફેરફાર ના કરે તો તેઓ એકવીસમી સદીની નવી પેઢીના સભ્યોમાં માન ગુમાવે એ સ્વાભાવિક છે.સમયનો તકાજો છે કે વૃદ્ધ જનોએ હવે  સમય પારખી એમનું રૂઢીચુસ્ત વલણ અને જુના આગ્રહો છોડીને નવા જમાના પ્રમાણે થોડા નવા ફેરફારો પણ અપનાવી લેવામાં કોઈ વરણાગીપણું નથી.મારા એક અનુભવની એક વાત મારી એક સત્ય કથા ઉપર આધારિત વાર્તા “બેકટેરીયા”માં મેં કરી છે. અમારા પાટીદાર સમાજમાં ઘણા વર્ષો પહેલાં બાળ લગ્નોનો રીવાજ પ્રચલિત હતો.છોકરો ભણીને એન્જીનીયર થાય પણ એની પત્ની કન્યા કેળવણીના ફેલાવાના અભાવને લઇ વહેલો અભ્યાસ છોડી મા-બાપને ખેતી અને ઘરકામમાં મદદ કરતી હોય .આ વાર્તામાં એક ભાઈ ભારતમાં એન્જીનીયર થઈને અમેરિકા જઈ ત્યાં મહેનત કરી સ્ટોર ચલાવે છે. ત્યાં ગયા પછી એની અભણ પત્નીને અમેરિકા બોલાવે છે.દસ વર્ષ પછી પતી-પત્ની-  દિલીપ અને રક્ષા એમનાં બે બાળકો,પાંચ વર્ષની બેબી અને દોઢ વર્ષના બાબાને લઈને એમનાં મા-બાપ અને સ્નેહીજનોને મળવા એમના ગામ જાય છે.સ્વાભાવિક રીતે ગામનાં સગાં અને ફળીયાનાં માણસો એમના ઘરે એમને મળવા આવે છે.અમેરિકા ગયા પહેલાં ગામમાં રક્ષાનું નામ રૂખી  હતું. ફળીયામાંથી એક ઘરડાં વિધવા ડોશી મંછી મા દિલીપના દોઢ વર્ષના બાબાને રમાડવા માટે એમના હાથમાં આપવા એને કહે છે. ત્યાં રક્ષા દોડતી આવી દિલીપને કહે છે “ હની, બાબાને મંછીમાને ના આપીશ , એમના ગંદા શરીરનાં બેક્ટેરિયા બાબાને લાગી જશે તો એ સીક થઇ જશે .”નવી પેઢીએ જૂની પેઢીની સંવેદનાઓને ઠેસ ના પહોંચે એની કાળજી અને સમજ રાખી સમય ,સંજોગ અને સ્થળ પ્રમાણે વર્તાવ કરવો જઈએ.આધુનિકતા કોઈવાર આછકલાઈ બની ના જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. બધું પ્રમાણસર અને મર્યાદામાં હોય તો જ શોભે છે. કોઈ પણ વાતનો અતિરેક વર્જ્ય છે.સુ.શ્રી પ્રજ્ઞાબેનના ફોન ઉપરના આગ્રહથી આ રચના મોકલવાનું શક્ય બનાવ્યું એટલે એમનો આભારી છું.મૂળ ગીત- ઓ ભાભી તમે થોડા થોડાચિત્રપટ – ગણસુંદરી(૧૯૪૮)ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.હવે થોડાં થોડાં, તમે થોડાં થોડાં, થાવ વરણાગી, તમે પણ અપનાવો ફેશન , બહુ નહી તો થોડી, સ્ત્રી સમાનતાનો આ યુગ છે એ ના જાઓ તમે ભૂલી, કોઈક વાર રેસ્ટોરંટ જવાનું પણ રાખો, કાકાને તાણી, નવી પેઢી સાથે ચાલો હવે કદમ સે કદમ મિલાવી, કરકસર બહુ કરી, હવે દાન પણ કરો મન ખોલી , કોમ્પ્યુટર શીખી લો, દુનિયાની ઉઘડી જશે બારી, વિશ્વમાં આજે નારી શક્તિ જુઓ કેવી ગઈ છે જાગી, ધ્યાન રાખજો ,પડીને દાંત નાંખો ના તોડી, ખોટી શરમ છોડો,કાકા થયા વરણાગી ઓલરેડી,   અને ​હું વરણાગી થઈહવે હું સાહીઠ (60) વર્ષની થઇ  બહાર જવું હોય તો છોકરાઓ લઇ જાય તો જ જવાનું। થયું હું કાર ચલાવતાં કેમ ન શીખું ? તો મારે કોઈના પર આધાર ન રાખવો પડે  આ ખ્યાલ ક્યાંથી આવ્યો ?  પરતંત્રતા એ મને વિવશ કરી મૂકી  છોકરાઓ પોતાની રીતે બધે જતાં  ક્યાં તો હું બાળકોને સંભાળું અથવા એક્લી બેસી ટીવી  જોયા રાખું, ન કોઈને મળવાનું ન ક્યાંય જવાનું ?  અંદરથી મુંઝાઇ ગઈ   મુકુંદ ખૂબ યાદ આવવા ​લાગ્યા ​સાઠ વર્ષે કાર શીખી શકું ? મારાં મને પ્રશ્ન કર્યો, કેમ નહી? (મુકુંદનો અવાજ પાછો સાંભળ્યો )  કંઈક શીખવાનું, કંઈક જીવનમાં પરિવર્તન લાવવું એને ઉમ્મર સાથે કંઈ જ નિસબત નથી – જા મીના જરૂર કાર શીખ બસ, મેં મન બનાવી લીધું  સંદીપને કયું મારે કાર શીખવી છે મને સગવડ કરી આપ  છોકરો અને વહુ આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા પણ મારી મક્કમતા જોઈ કાઈ બોલ્યા નહી  મારાં ડ્રાઈવિંગ લેશ ના દિવસો નક્કી થઈ ગયા  શરૂઆતમાં ઘણી તકલીફ પડી,હાઈવે પર ગાડી ચલાવતાં ડરતી ,અંદર ના નાના રસ્તે મારે જોઈ તા સ્થળે પહોંચી જતી,પણ ધીરે ધીરે ગડ પડતી ગઈ અને અહીં અમેરિકામાં તો ક્લચ વાપરવી નથી પડતી  – બધું ઓટોમેટિક;  દોઢ વર્ષ પછી મને લાઈસન્સ મળ્યું  – હું ખૂબ ખુશ હતી હવે એકલી મંદિરે જાવ છું, શો​પીંગ પણ કરી લાવું છું મારી બહેનપણી ને મળવા જાવ છુ કોઈકને મદદ કરવાં પણ જાંવ છુ હવે હું સ્વતંત્ર બની છું પેન્ટ શર્ટ પણ પહેરું છું -મારું આ પરિવર્તન જોઈ મારી સહેલી કહેતી હવે તમે વરણાગી થયા ?હું ફૅશનેબલ નહોતી થઇ પણ પરિવર્તનનો સ્વીકાર કર્યો હતો ,​વરણાગી એટલે કે પરિવર્તન, જે જીવનને શુષ્ક થતું અટકાવે છે  આજે પંચોતેર (75) વર્ષની ઉમ્મરે પણ હું બધું મારી જાતે નિપટુ છું ભગવાનને પ્રાર્થના કરતી વેળા જરૂર વિનવું છું કે મારી સંભાળ કાયમ આમ જ રાખતો રહેજે। — વરણાગીપનાએ મને નવું જીવન આપ્યું, ​આત્મવિશ્વાસ આપ્યો ​બસ આમ હું ​સમયની જરૂરીયાતને વળગીને વરણાગી થઈ જયવંતી પટેલ  નિહારિકા શશીકાંત વ્યાસમનુષ્યના શરીરમાં ‘મન’ નું કાર્ય મુખ્ય હોય છે.  કહેવત છે કે “મન હોય તો માળવે જવાય” એટલે કે મનનો દ્રઢ નિશ્ચય હોય તો તેમાં જરૂરથી સફળતા પ્રપ્ત થાય જ.  પરંતુ મનુષ્યના મનમાં ભગવાને કામ, ક્રોધ, ઇર્ષા, લોભ, મોહ,કપટ, જેવી મનોવ્રુત્તિઓ મુકી દીધી છે જેનાથી જગત ચાલી રહ્યું ચે. પણ, ‘મન’ જ્યારે આ બધાથી મુક્ત થઈ જાય છે ત્યારે જ આત્માને પરમાત્મામાં મળવાને લાયક બનાવવાની પ્રવ્રુત્તિઓ કરવા માટે પ્રેરાય છે. જેઓએ સાચે જ જહતના લોકોનું કલ્યાણ કર્યું છે અને જગતના લોકોને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ્યો છે તેમણે ક્યારેય ભગવા વસ્ત્રો ધારણ કર્યા નથી, પરંતુ તેમેણે તેમના મનને જ ભગવુ બનાવ્યું છે.ભગવો રંગ તે વૈરાગ્યનું પ્રતિક છે.જ્યારે મન કામ, ક્રોધ, ઇર્ષા, લોભ, મોહ,કપટ, જેવી મનોવ્રુત્તિઓમાંથી નીકળી જાય ત્યારે જ સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને ત્યારે જ ‘મન’ દ્વારા સાચા અર્થમાં લોકહિત થઈ શકે બાકી આ જગતમાં બધા જ વ્યર્થ ફાંફા છે.  આટે જ કહ્યું છે કે “મનને જીત્યું તેણે જગતને જીત્યું”.પરમાત્મા પ્રાપ્તિનો સાચો સાચો માર્ગ, “ભોગ” નો નહીં પરંતુ “ત્યાગનો” છે.જ્યાં ત્યાગની મનોવ્રુત્તિ છે ત્યાં જ સુખશાંતિ છે.સાચા અર્થમાં જ્યારે મનમાંથી કામ, ક્રોધ, ઇર્ષા, લોભ, મોહ,કપટ, જેવી મનોવ્રુત્તિઓ નાશ પામશે ત્યારે જ બીજાનામાં પરમાત્માના દરશન થશે જ અને ત્યારે જ જગતમાં સાચુ સુખ અને શાંતિ સ્થપાશે.હું આ બધું તમને ઉપદેશ આપવા કહેતી નથી પરંતુ હું તો મારા જ મનને કહું છું કે હે! મન હવે તું થોડૂં થોડૂં પરમાત્માને પ્રાપ્ત કરવા તરફ વરણાગી બન, હવે અડસઠ તો ગયા પણ જે રહ્યા છે તેને સુધારવા( પરિવર્તન )માટે તું પરમાત્માને પ્રાપ્ત કરવાની સાચી શ્રધ્ધા પ્રાપ્ત કર. “શ્રધ્ધા શું શું ના કરે!શ્રધા અમ્રુતવેલ, મ્રુતને સજીવન કરે, એ શ્રધ્ધાનો ખેલ” નિહારિકા શશીકાંત વ્યાસમારું કોમ્પુટર બગડે એટલે દીકરીને ટેન્શન થાય. અને સાથે સાથે સુચનો નો વરસાદ વરસે. “પપ્પા તમે જે તે સાઇટો ના ખોલો અને મુવી તો ખાસ જ નહીં તેમાંથી જ વાઇરસ લાગતા હોય છે . તમારા બીઝનેસનાં ડેસ્ક ટોપ પર તો ખાસ જ નહીં “મેં કહ્યું બેટા “હું દાદો છું મારે તેને તે બધું શીખવવાનું હોય.”“એટલે?”હું તેને જોઇ રહ્યો અને મારો પૌત્ર મારા ગુરુની જગ્યા લઇ રહ્યો હતો. તેની નાની નાની આંગળીઓ કી બોર્ડ ઉપર પિયાનો વગાડવા જેટલી સ્ફુર્તિ થી ફરી રહી હતી.. મારે તેની પ્રેક્ટીસ કરવાની હતી.“ કશું ક ના સમજાય તો ગુગલ ગુરુને પુછો એટલે રસ્તો તરત જ બતાવશે.’અઠવાડીયા પછી અમારા ઘરમાં થી ચહલ પહલ જતી રહી.. બધુ સ્મશાન વત શાંત થઇ ગયું. રેણું તેના લેપટોપ ઉપર હું મારા ડેસ્ક ટોપ ઉપર, જય તેના આઇ પેડ ઉપર અને ચીની તેના આઇ ફોન ઉપર ટક ટક કરતા હતા ઘરનાં ચાર રૂમો માં અમે ચારેય જણા ગ્રુપ બનાવી ચેટ કરતા હતા.મારી પરી પહેલી વખત રણકી – “ હા પપ્પા! તમે સાચા છો એક્વીસમી સદી ની શોધો આપણી સગવડ માટે છે આપણને મુંગા અને બહેરા બનાવવા માટે નહીં…આ તો હતી અમારી નોક ઝોક પણ એક દિવસ રેણું ખરેખર ચિંતા કરતી હતી “બેટા તું પૈસા બહુ વેડફે છે.”અમે તો હવે પીળું પાન..અમે જિંદગીનાં બધા જ મોજ શોખ કરી લીધા પણ આવા ટ્રાવેલ પ્લાન કરી મહેરબાની કરી પૈસા ના વેડફ.. અમે તો ઇંડીયા જઇએ એટલે અમારો તો પ્લાન થઈ ગયો.”“ હા એટલે તો કહું છું કે અમે તો બધું જોયું છે.”“ પણ બેટા હજી અમે કમાઇએ છીએ અને તું અમને બીલકુલ ખર્ચ કરવા જ ના દે તે ખોટી વાત છે.” રેણૂ એ પ્રત્યુત્તર આપતા કહ્યું.”“જો હું તો પપ્પાનાં રસ્તે જ ચાલુ છુ.. તમારા સમયે તમે કરેલા રોકાણ નું આ ફળ છે . તમે તે ફળ ખાવ અને હું મારા બીજો વાવી રહી છુ. મને પણ મારો દીકરો ફેરવશે ને?”“ તો તેમાં મારા વાવેલા બીજોનો વાંક છે પપ્પા! તમે તો સારું બી વાવ્યું હતુંને તેથી તો આજે અમે ઉજળા છીયે. મને ખબર છે જ્યારે અમેરિકામાં તમે આવ્યા અને બંને ભાઇ બહેનો ને પોતાના ક્રેડીટ કાર્ડ આપ્યા ત્યારે તમે કહેલું બેટા આ ક્રેડીટ કાર્ડ તમારા માટે યુનિવર્સીટી જવાની ભણવાની અને ખાવાની સગવડ માટે છે.મોજ શોખ અને ટાપ ટીપ માટે આખી જિંદગી પડી છે. તેથી યોગ્ય રીતે ખર્ચ કરજો.. મને હજી પણ તમે સમજાવેલ  જરુરિયાતનો તફાવત યાદ છે નીડ માટે ખચકાટ નહીં પણ વૉન્ટ માટે રેડ સીગ્નલ.“તે વાતને ભુલી જાને મમ્મી.. હું છું ને તારી સાથે..”તો હું દીકરી થઇ તેથી શું? મને જણતા તારી જાંઘો દુઃખ થી થરથરી નહોંતી? જયનાં જન્મ વખતે થયેલા તે દુઃખનો મને અહેસાસ છે મમ્મી.. અને આ એકવીસમી સદી છે તું હવે વીસમી સદીની વાતો ભુલ અને સમય બદલાય તેમ બદલા.. પપ્પા કહે છે ને તેમ થોડા થોડા થાવ વરણાગી.   ગઇ કાલની વાત – પાંચેક વર્ષની હોઇશ ત્યારથી મારા સીધ્ધા વાળ મારી પાનીએ પહોંચતા અને એટલાં ગુંચવાતા કે હંમેશ, ભીંછરા જેવી જ લાગું.  ભર્યા કુટુંબમાં કોને વખત હોય કે ઘડી ઘડી મારાં વાળ સંવારે?  જથ્થો પણ એટલો કે માથું ધોવા એક માણસની જરૂર પડે અને ગુંચ કાઢવા માટે ત્રણ જણની.  સુકાયેલા વાળને અડધા આગળ અને અડધા પાછળ રાખ્યા હોય તો મારા શરીરનું એક તસુ પણ ના દેખાય.લગ્નને બીજે જ દિવસે દિલિપ અમેરિકા પાછા ફર્યા હતાં.  જ્યારે મારે અમેરીકા આવવાનુ થયું ત્યારે વાળને સુંદર રાખવા માટે હું બ્યુટિ પાર્લરમાં ગઇ.  ચાર ડઝન સોયા અને હેર સ્પ્રે વાપરી ત્યારે સુંદર બુફે અંબોડો થયો પણ લંડન પહોંચુ તે પહેલા  સોયા ખરવા માંડ્યા અને અંબોડો છૂટી ગયો.  હેર સ્પ્રેને લીધે ગુંચ  પણ કાઢી ના શકી.  દિલિપને ભીંછરી જ મળી!  પણ દિલિપને ઓપની જરુર્ત જ નહોતી. જેવી છું તેવી તેમને ગમું છું.વાળથી આઝાદી!!!આજની વાત – હવે સમઝમાં આવે છે કે ભલે બધા વિવિધ રીતે ભગવાનની છબીઓ તથા મુર્તિઓને ઝવેરાત તથા ઝગમગતા વસ્ત્રોથી શણગારે છે પણ મહાદેવ? તેમનાં ભક્તો ક્યાં ઓછા છે? વરણાગીપણું નજરમાં છે, વૈરાગ્યમાં પણ. દેવોનો વિનાશ ના થાય તેથી મહાદેવે વિષ પીધું, કંઠે અટકાવી રાખ્યું તેથી એ નીલકંઠ થયા. એ વિષાગ્નિને થંડક આપવા સર્પની માળા ધારણ કરી. લોકોનું દુખ જોતાં મહાદેવનાં અશ્રુમાંથી પ્રગટ થયેલાં કરુણા સ્વરુપ, ખરબચડા રુદ્રાક્ષથી પણ એમને શણગારાય છે. ગંગા નાં ધોધથી પ્રલય થાય તેથી બાંધેલી જૂટ જટા એમણે કદી છોડી નહીં. પોતાના સ્વાર્થનો વિચાર કર્યા વિના બીજાનું ભલું કરવાથી આપણું જીવન સુંદર બને છે અને એ આપણા અસ્તિત્વને દિપ્તી આપે છે.અને હા,  આજે પણ હું નાની થઇને આવી છું કારણ સુંદર કપડાંનો મોહ હજુ ગયો નથી.પહોંચી શકીશ મહાદેવને રસ્તે?અને છતાં અહીં નોકરીએ લાગી ત્યારથી કરી અપટુડેટ થઇ ફરવાનો મોકો માણ્યો.  વિમળાબેન અને મનહરભાઇએ પોતાના બન્ને બાળકો સુરભી અને સૌરભને ખૂબ જ સાદાઇથી ઉછેર્યાં.  બાળકોને સારા સંસ્કાર આપ્યાં ને સાથે કરકસર કરી કેમ જીવન જીવાય તે પણ શીખવ્યું.સુરભી અને સૌરભ તો હવે વિશ્વવિદ્યાલયમાં જશે ને હવે પછીનાં નિવૄત જીવનમાં કંઇ કંઇ પ્રવૃત્તિ  કરીશું તે વિચરોમાં પતિ પત્ની રાચતા હતા.ભવિષ્યમાં શું સર્જાયું છે તે કોણ જાણે?  એક દિવસ વિમળાબેને કંઇ શરમાતા ક્ષોભ પામતાં નવા મહેમાનાનાં થનાર આગમનની વાત કરી.મનહરભાઇ કરકસર કરી જીવ્યા હતા એટલે સારી એવી મૂડી ભવિષ્યનો વિચાર કરી બચાવેલ.શીવમનાં નર્સરીનાં એડ્મીશન માટે મોટી રકમ આપવી પડી.  શીવમને જોઇતી દરેક વસ્તુ તેઓ પ્રેમપુર્વક લઈ આવ્યાં,શીવમ પ્રાયમરી સ્કુલમાં ગયો એટલે મિત્રોનાં જન્મદિવસની પાર્ટી, ગિફ્ટ, નવાં કપડાં આ બધું શરૂ થયું.સમયનાં વદલાવથી સાથે દરેક ક્ષેત્રમા થોડો ઘણો બદલાવ આવે છે ને લાવવાનો હોય છે જેથી પરસ્પરનો આનંદ બમણો થાય છે.

થાવ થોડા વરણાગી (૧૫) પદ્માબેન શાહપદ્માબેન કનુભાઈ શાહ   ગમતાંને ગમતું કીધું છે… બીજે ક્યાંય નમતું દીધું છે…(રાજેશ શાહ દ્વારા)    બે એરિયા, તા. ૯ – બે એરિયામાં ‘બેઠક’ના ઉપક્રમે રજૂઆતગુજરાતી ભાષાની અસ્મિતા અને ગુજરાતી સાહિત્યનું જતન કરતા ગરવા ગુજરાતી ભાષા- સાહિત્યપ્રેમીઓએ આજની બેઠકની સુનહરી સાંજે વરણાગીપણાને વહાલથી વધાવી લીધું હતું.બેઠક’ના ફેબુ્રઆરી માસનો વિષય ખૂબ જ રસિક અને મનને આનંદિત કરે તેવો હોઈ સર્વે સિનિયર ભાઈઓ બહેનો ‘થાવ થોડા થોડા વરણાગી’ વિષયને માન આપીને તેને અનુરૃપ ગીત- ગઝલ વિચારોને લઈને ફેશનેબલ એટલે કે વરણાગી બનીને શુક્રવાર સાંજે ૨૭ ફેબુ્રઆરી- ૨૦૧૫ના રોજ ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટરના ઓડિટોરિયમમાં આવી પહોંચ્યા હતા. આજના કાર્યક્રમના ખાસ મહેમાન જાણીતા સાહિત્યકાર જયશ્રીબેન મરચન્ટ અને જાણીતા કવિ ગઝલકાર ડો. મહેશ રાવલ હતા. કાર્યક્રમની શરુઆત રમેશભાઈ પટેલે ગણેશવંદનાના શ્લોકોથી કરી હતી. આજના કાર્યક્રમનું સંચાલન કરતા પ્રજ્ઞાાબેન દાદભાવાલા અને કલ્પનાબેન રઘુભાઈ આજના ખાસ પધારેલા મહેમાનોને આવકારી તેઓનો પરિચય આપ્યો હતો. જયશ્રીબેન મરચન્ટે ડો. મહેશભાઈ રાવલના ગઝલ સંગ્રહ ખરેખરનું વિમોચન કરતા ડો. મહેશભાઈ રાવલનો પરિચય આપ્યો હતો. અને ‘ખરેખર’ ગઝલસંગ્રહમાં કવિ- ગઝલકારે પોતાની કલાનો કસબ રજૂ કરી કેવી કમાલ કરી છે તેની રજૂઆત કરી છે. ગમતાને ગમતું દીધું છે બીજે કયાંય નમતું દીધું છે તથા મઝલ કાપીને બેઠો છું મને માપીને બેઠો છું ઉઘાડા દ્વાર જેવો થઈ બધું આપીને બેઠો છું. આવી સુંદર પંક્તિઓના સર્જક છેલ્લા ૩૭ વર્ષોથી ગઝલોની દુનિયામાં રચ્યા પચ્યા રહેનાર કવિ- ગઝલકાર ડો. મહેશભાઈ રાવલના ગઝલોના ગુલદસ્તા એવા ચોથા ‘ખરેખર’ ગઝલસંગ્રહ વિમોચનને સૌ ગુજરાતી ભાષાપ્રેમીઓએ તાલીઓથી વધાવી લીધો હતો. જાણીતા કવિ શાયર અમૃત ‘ઘાયલ’ના શહેર અને કૂળના જાણીતા ગાયક મનહર ઉધાસે જેમની ગઝલો ગાઈ છે તેવા ડો. મહેશ રાવલની કાઠિયાવાડી બરકટ બોલીમાં રચાયેલી તળપદી મીઠાશવાળી ગઝલોને સર્વે ગઝલપ્રેમીઓએ આવકારી છે અને મન મૂકીને માણી છે. ગઝલ સંગ્રહના વિમોચન બાદ આજના વિષય ઃ ‘થાવ થોડા વરણાગી’ને અનુરૃપ જયશ્રીબેન શાહે ૧૯૪૮માં રજૂ થયેલ ગુણસુંદરી ફિલ્મનું જાણીતું ગીત ‘ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી’ સુંદર રીતે ગાઈને વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું. વરણાગી વિષય ઉપર પોતાની જીવનશૈલી અને વિચારોને વાચા આપવા એક પછી એક સર્જકો રજૂઆત કરવા આવતાં ગયા માધુરિકાબહેન, પ્રજ્ઞાાબેન દાદભાવાલા, રાજેશભાઈ શાહ, જાગૃતિબેન, કુંતાબેન વસુબેન શેઠે વિષયને અનુરૃપ વરણાગી વેશભૂષા કરીને પ્રસંગને દીપાવ્યો હતો. વસુબેન શેઠે ખૂબ સુંદર શણગાર સજી લટકા મટકા સાથે પોતાના જીવનના રસિક પ્રસંગોની રજૂઆત કરી. તેઓએ વરણાગીપણા વિશે કહેતા જણાવ્યું કે, ફેશને તેમને આત્મવિશ્વાસ અપાવ્યો છે. વિચારોમાં આવેલા વરણાગીપણાએ એમની સર્જનશક્તિ ખીલવી છે અને જીવનમાં આનંદનો સંચાર કર્યો છે. કલ્પનાબેને વરણાગીપણા વિષે કહેતા જણાવ્યું કે વરણાગીપણું એટલે માત્ર ફેશન જ નહી ંવરણાગીપણું એટલે પરિવર્તન પ્રસંગ અને સંજોગોને અનુરૃપ બદલાવ અને જીવનને માણવાનો અનોખો પ્રયાસ. દર્શનાબેન, પ્રજ્ઞાાબેન દાદભાવાલા, નિહારીકા બેન તથા સર્વે સર્જકોએ વરણાગીપણા અને આધુનિકતા વિષય ઉપર પોતપોતાના મનનીય વિચારો રજૂ કર્યા હતા. આજના કાર્યક્રમનું રેડિયો પ્રસારણ માટે જાગૃતિબેન શાહ સાઉન્ડ સિસ્ટમ માટે દિલીપભાઈ શાહ, ફોટોગ્રાફી- રઘુભાઈ શાહે સુંદર સહકાર આપ્યો હતો– વરણાગી બનીને સીનિયરો જોવા ઉમટયા… ‘થાવ થોડા વરણાગી’

  • (૧૬અહેવાલ- ‘થાવ થોડા વરણાગી’-રાજેશ શ…….. વરણાગીપણું  શેમાં લાવવું જોઈએ ?આપણા  સંતોએ  કહ્યું છે કે સાત્વિક  વિચાર ,વાણી અને વર્તનમાં  લાવવું જોઈએ.પ્રથમ સાત્વિક વિચાર વિષે વિચારીએ. પરોપકારનું પ્રથમ પગથિયું  કુટુંબથી શરું કરવું જોઈએ. ઘરના ને મદદરૂપ થયા બાદ સમાજ ને અને દેશને ઉપયોગી થવાના પ્રયત્નો વધારી વરણાગી થવાય. વાણી માં વિવેક અને મીઠાશ લાવી વરણાગીપણું  ખીલવી શકાય. વિચાર અને  વાણી માં વરણાગીપણું  આવતાં  વર્તન આપોઆપ  વરણાગ્યું દેખાશે . બેનો  ઘરની સ્વછતા , સુઘડતા  અને બાળકોનાં  શિક્ષણ માં રસ લઇ  વધુ વરણાગી થઇ શકે છે. સમયને અનુરૂપ થઇ ને રહેણીકરણી માં ફેરફારકરી  વરણાગી  થઇ શકાય . હાલના સંજોગ મુજબ  પાણી ની તેવડ કરવી અનિવાર્ય છે. પાણીનો યોગ્ય ઉપયોગ ,અને વપરાયેલા પાણીનો પણ ઉપયોગ  કરી આંગણું લીલુંછમ રાખે  અને સમાજ માં બીજા લોકોને પણ  જણાવે તેય  વરણાગીપણા નું એક પાસું   છે. પૈસા ખર્ચી ને જ વરણાગી થવાય એવું નથી. તેવડ કરી વસ્તુ  ને શોભાયમાન કરવી એમાં સાચી કળા સમાયેલી છે. કસરત,યોગ આસન તેમજ ઘરના કામકાજ કરી , શારીરિક સ્ફૂર્તિ મેળવી મોં ઉપર લાલાશ લાવીએતો  તે સાચું વરણાગીપણું  છે.
  • મધુરિકા શાહ
  • આજે શીવમની સ્કૂલમાં પેરન્ટ્સ ડે હતો.  શીવમે મમ્મીને કહ્યું મમ્મી આજે તમે મારા બીજા મિત્રોની મમ્મી તૈયાર થઈને આવે છે તેવાં જ કપડાં દાગીના પહેરીને આવશોને? હા! બે ઘડી તો વિમળાબેન વિમાસણમાં પડ્યાં પણ હસતું મોઢું સાખી કહ્યું જરૂર જરૂર બેટા!  સાંજે જવાના સમયે શીવમે મમ્મીને જોયાં ને ભેટી પડ્યો.  મમ્મી you look awesome!  ને મમ્મીની આંખમાંથી આંસુ સરી પડ્યાં.
  • સમય વીતતાં નવશીશુનો જન્મ થયો.  શીવમનાં આગમને આ દંપતિનાં જીવનમાં પરિવર્તન થયું.બે દશ્કા પછી જાણે દુનિયા બાળકો માટે પલટાઈ ગઈ હતી.  નવાં નવાં રમકડાં ને બાળકો માટેનાં સાધનો જોઇ મનહરભાઇ અને વિમળાબેન આભા બની ગયાં.  કંઇક વિચારી બન્નેએ નક્કી કર્યું કે સમયનાં વ્હેણ સાથે આપણે પણ આપણાં વિચારો રહેણી આમ અનેક રીતે બદલાવ લાવવાનો છે.
  • થાવ થોડા વરણાગી (૧૪) મધુરિકા શાહ
  • બાળકોની સાથે સાથે બદલાતા વાતાવરણ, જુદા જુદા પ્રદેશનાં લોકોની જુદી જુદી માન્યતા, મંતવ્ય, પ્રેમ, તીરસ્કાર, ટેક્નિકલ ઉન્નતી વિગેરેનો પરિચય થયો. તે વખતે કનેટિકટમાં ભારતિય નૄત્ય શિખવાડનાર કોઇ મળ્યું નહીં તેથી તેને બેલે, જાઝ, ટેપ શિખ્વાડ્યાં,  દીકરા જોડે નવી નવી રમતો રમતી અને અંગ્રેજી ગિતો  ગણગણતી.હજુ તો ઘણું નવું નવું અને વધુ અને વધુ ઝડપે થાય છે અને આપણે અપનાવતા જઇએ છીએ.
  • ૧૯૭૧ની ચોથી જુલાઇએ મેં દિલિપને હાથે જ  કમરની નીચેના મારા વાળ કપાવી નાખ્યા –  કારણ અમારી પહેલી દિકરીને મુકતાં, ઉંચકતા એક તો મારા જ પગ નીચે મારા વાળ આવી તુટતાં અને ઘુંટણિયા તાણતી દીકરીનાં હાથમાં પગલે પગલે મારા વાળ ભરાતાં,
  • બારેક વર્ષની હોઇશ — મારી ફેલોશિપ સ્કૂલની ૨૫મી વર્ષની જયંતિ ઉજવવા મોટો દસ દિવસનો સમારંભ યોજાયો હતો.  બધા વિદ્યાર્થીઓએ એમાં ભાગ ભજવ્યો હતો. મેં પણ વિવિધ ભુમિકા ભજવી હતી.  પરંતુ આંખે તરે છે એ રુપ જેમાં હું મણિપૂરી ન્રુત્ય નાટિકા માટે સજ્જ થઇ હતી. ત્યારે મેકપ અને સુંદર વેષભૂષામાં સજીત, પારદર્ષક ઓઢણીમાંથી ડોકિયું કરતો ર્સુંદર રીતે ઓળેલા વાળનો માથા પર ત્રાંસો અંબોડો જેની ફરતે મોગરાનો મઘમઘતો ગજરો જે શણગારને સુગંધી બનાવતો હતો ,  મારું એ પ્રતિબિંબ અરિસામાં જોઇ મને કોઇ અવનવાં સ્પંદનોનો અનુભવ થયો  હતો તે મને યાદ છે. ત્યારે મને અહેસાસ થયો હતો કે હું પણ સુંદર અને મોહક છું પણ એ ભુલાએલી વાત કોલેજનાં બીજા વર્ષમાં આવી ત્યારે જાગ્રુત થઇ અને ભાન આવ્યું કે થોડા વ્યવસ્થિત દેખાવાની જરૂર છે.  ફ્રોકને મેચીંગ જોડા, ચમ્પલ, એડી વાળા સેંડલ અને ચોટલાની રીબનો વસાવી. દાદાજીની સંમતિથી લિપ્સ્ટિક તથા અણિઆળી આંખો કરવાની પેન્સીલ લીધી અને વાપરી. કોઇ બીજાને માટે વરણાગી થવાનું મોડું  સુઝ્યું. ત્યારે પૂણે સહેતી હતી. સાઇકલ ઉપર કોલેજ અને મિત્રને મળવા જવાનું  સાડી ભાગ્યે જ પહેરતી કારણ સાઇકલમાં ભરાઇને ફાટે અને ગંદી થાય ચોટલાં પણ આગળ લાવી બીજા ખભા પરથી પાછા નાખવાં પડતા કારણ ચોટલાં પણ સાઇકલમાં ભરાઇ જતાં.  સાઇરાબાનુ કહી, સીટી વગાડી અજાણ્યા યુવકો મારી ઠેકડી ઉડાવતાં.  વાળ ધોવા ખાસ બાઇ રાખવી પડેલી.  દાદાજી, બાઇ અને હું વારાફરતી ગુંચ કાઢીએ કારાણે હાથ થાકી જાય.
  • થાવ થોડા વરણાગી —-(૧૩) કુંતા શાહ
  • રેણુની આંખો ભીની હતી તેની શ્રવણ દીકરીને જોઇને…
  • “પણ બેટા તુ છે તે તો છે જ પણ તું દીકરી છે ને?”
  • “તારો ભઇલો તેમાં તો ભટકાઇ ગયોને? કોલેજ્માં ભણવા જવાના સમયે લાઇફ અને શોખોનો ભોગ બની ગયો. કોલેજનાં વર્ષોમાં જિંદગી જીવવાનાં કૉડ થયા. જે વૉન્ટ માં હતુ તેને નીડ બનાવી દીધી.”
  • “બેટા અમારા તો અંતરનાં આશિષ છે. પણ કાલે ઉઠીને એવું ન પણ થાય..જયને મળનારું પાત્ર આવું ના પણ સમજે..”
  • “મમ્મી મને ખબર છે તું આવું કેમ કહે છે… હું છોકરી છું  એટલે ને?”
  • “ તે વખતે અમને ભાઇ બેન ને પપ્પા સાચી રીતે વધું મળતા હતા..ઉપરિયાળા તીર્થમાં સવારના પહોરમાં મોરનાં ટહુકા અને કોયલ નો કુહુ કાર તથા મંદિરનો ઘંટારવ હજી પણ મારા સ્મરણોમાં એવોજ તાજો અને જીવંત છે. પપ્પાને ખબર હતી કે બા દાદા ને તિર્થાટન ગમતા હતા તેથી તેઓ તેમને ત્યાં ફેરવતા હતા. અને સાથે સાથે અમે પણ નવી દુનિયા માણતા હતા.બા સાંજે ભાવનામાં પપ્પા મંજીરા વગાડતા અને તું સરસ સ્તવનો ગાતી તે વખતે બા દાદાનાં પ્રસન્ન ચહેરાઓને હું જોતી અને માણતી કે પપ્પા કેટલં સંસ્કારી અને ધાર્મિક છે. જોકે ભઈલો કંતાળતો અને કહેતો આ શું જ્યાં હોય ત્યાં મંદીરો અને મંદીરો જ.. તેને જો કે પાવાગઢ અને સાપુતારા બહુ ગમાતા અને તેથી આપણી એમ્બેસેડરમાં ત્યાં પણ જતા..બસ એવુંજ કામ હું કરું છું કે જેથી જયનાં સ્મરણોમાં પણ તમે રહો.. ચાલુ દિવસે તો ફોન અને ક્લાયંટોમાં થી તમે નવરા ના પડો પણ આવી નાની મોટી ટુર્સ અમને તમારી સાથે જીવ્યાનો આનંદથી ભરી દેતી હોય છે.”
  • “ મમ્મી એક વાત તું સમજ આ બગાડ નથી સાચુ કહું તો આ રોકાણ છે. તને ખબર છે દાદીબા અને દાદા સાથે પપ્પાએ અમને ભારતભરનાં તીર્થોમાં ફેરવ્યા હતા.?’
  • “ કેમ મમ્મી કેવી રીતે?”
  • “ જય ચાલ હવે વાર્તા કહેવાનો મારો પીરીયડ શરુ.”
  • એક દિવસ હું બોલ્યો “ આ શું આપણે તો હસવાનું જ ભુલી ગયા છે. નો ચેટીંગ ફોર મોર ધેન વન અવર…” અને ત્રણેય જણા ચેટ બોર્ડ ઉપર હા હા હા કરીને હસ્યાં. મેં ઘાંટો પાડ્યો “એ રમક્ડૂં ઘરમાં શાંતિ લાવી દે અને એકલા ટક ટક અવાજોનું સામ્રાજ્ય છવાઇ જાય તે નહીં ચાલે..”
  • “ દાદા્જી તમને આટલુંય નથી સમજાતુ તમારી વેબ પેજ.હોય તો જેઓને તમારા લખાણો વાંચવા હોય તો તેઓ વાંચી શકેને?”
  • બીજે દિવસે હું અને રેણુ આઇ પેડ ઉપર પ્રેક્ટીસ કરતા હતા અને અમારો નાનો જય વીડીયો ગેમ રમતા રમતા સુચનો આપતો હતો..” દાદાજી બહુ સહેલુ છે મેનુ વાંચો અને બધુ જ સમજાઇ જશે.”
  • “એટલે હવે પોષ્ટ, ટેલીફોન અને વાતો કરવાનાં માધ્યમો બદલાઇ ગયા. જો ત્રીજી પેઢી સાથે વાતો કરવી હશે તો ચેટીંગ અને ફેસટાઇમ જેવું જાણવું પડશે ઈ મેલ ટપાલી નું કામ કરે છે “
  • મંદ મંદ હસતા તે બોલી “ પપ્પા આ એકવીસમી સદી છે અને ટેક્નોલોજી જે ઝડપે બદલાય છે તે ઝડપ જોતા હવે તમારે જે શીખવવાનું છે તે તો શીખવાડજો પણ એ જે શીખ્યો છે તે તમારે શીખવુ પડશે.”
  • “બેટા નવી સદી છેને હવે તો અમારા બીઝનેસમાં પણ ઑડીયો વીડીયો મેસેજ્ અને સોસીયલ મીડીયા સાવ આમ બાબત છે.”                         “જય! દાદા બા ને નવી ટેકનોલોજી શીખવાડી દે તો!- બાનું  ઇમેલ ખોલી આપ. ચેટ કરતા શીખવાડી દે અને વૉટ્સઅપ  અને ફેસ ટાઇમ તો ખાસ.જ.
  • થાવ થોડા વરણાગી.(૧૨) વિજય શાહ
  • વાલીઓ લુટારો એક જ ક્ષણમાં મનની વ્રુત્તિઓને બદલીને વાલ્મિકિ ૠષિ બની ગયો તો હું પણ મારા મનને કહું છું કે હવે તું નિહારિકા નામના શરીરમાં રહેલા આત્માને પમાત્મામાં ભેળવવા લાયક બનારવા માટે વરણાગી બન.  પણ મન માને તો ને?
  • જ્યારે મનમાં શ્રધ્ધા  ઉત્પન્ન થશે કે આત્માને પરમાત્મામાં ભળવાને લાયક  બનાવવો છે ત્યારે જ મન આ બધામાંથી મુ;ક્ત શઈ શકશે અને પરમાત્માને પ્રાપ્ત કરવાનો  સાચો લોકકલ્યાણનો માર્ગ અપનાવશે.
  • મીરા, નરસિંહ, શ્રી રંગાવધૂતજી, શ્રી કેવલાનંદજી, શ્રી દાદાભગવાન જેવા ઘણાએ મનને જ ભગવું બનાવ્યું અને ઉપદેશ તેમેના જ જીવન દ્વારા આપ્યો કે દરેકમાં પરમાત્માના દર્શન કરી તે પ્રમાણેનું વર્તન વ્યવહાર કરો.  જ્યારે બીજાનામાં રહેલા દૈવીતત્વને સમજા જઈશું ત્યારે આપણે સાચો વ્યવહાર અને વર્તન કરીશું.
  • થાવ થોડાં વરણાગી-(૧૧)
  • ​મારું નામ મીના લગ્ન કરીને મુકુંદ નું ઘર સંભાળ્યું ત્યારે પૂરા વિશ્વાસ થી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા  સીધું સાદું જીવન વર્ષો વિતી ગયા  બંને બાળકો, સંદીપ અને સ્વાતિ મોટા થઇ ગયા  બંનેના લગ્ન કરાવ્યા અને નિવૃતિનો શ્વાસ લીધો – હવે તો અમે બન્ને રહ્યા  થયું શાંતિથી રહીશું – પણ કાલે શું થવાનું છે કોણે જાણ્યું ?  મુકુંદને એટેક આવ્યો ને તરતજ તેનું પ્રાણ પંખેરુ ઊડી ગયું;  મીના વિચારો ના વમળમા ખોવાઈ ગઈ મુકુંદ ક્યારેક ટીખ્ખળ કરતો કે મીના, થોડું બહાર જા,  બહાર જઈશ ​થોડી કઈક શીખશ. હું નહી હોવ તો તને કામ લાગશે પણ મેં ધ્યાન આપ્યું જ નહોતું – હું ખુશ હતી મારી દુનિયામાં, સમય ને બદલતાં વાર નથી લાગતી ,​વખતે પલટો લીધો  સંદીપને અમેરિકા જવાનું થયું  સ્વાતિ તો પહેલેથી ત્યાં જ વસી હતી  સાતેક વર્ષ હું એકલી દેશમાં રહી  હવે સંદીપે કયું – મમ્મી તું અહિ આવી જા  અમારે પણ નાના બાળકો છે અમારા થી ધાર્યું દેશમાં નહીં અવાય  મને પણ થયું દીકરો આટલા પ્રેમથી બોલાવે છે તો ચાલ જાંવ  – અમેરિકા આવી ત્યારે સમજ પડી કે હું તો એક જુદી જ દુનિયામાં આવી પડી છું છોકરાઓ બોલે તે સમજાતું નહોતું   મને મુકુંદના શબ્દો યાદ આવ્યા  મેં કયું મારે અંગ્રેજી ભણવું છે વાંચતા તો આવડે છે પણ બોલાતું નથી થોડાં દિવસ બન્ને જણાએ મને વખતસર ક્લાસ માં પહોચાડવાની જવાબદારી સંભાળી –  ધીમે ધીમે બોજ બનવા લાગી  આ બધી વાતમાં વર્ષ વીતી ગયું : હવે હું બરાબર અંગ્રેજી બોલી, સમજી શકતી હતી
  • તમે થાવ થોડા વરણાગી-(૧૦) જયવંતી પટેલ
  • વિનોદ પટેલ , સાન ડીયેગો, કેલીફોર્નીયા
  • ઓ વ્હાલાં કાકી, તમે પણ થાઓ થોડાં વરણાગી.
  • જગત બદલાયું ,માટે સદી પુરાણા આગ્રહો દો છોડી,
  • ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.
  • ચંપલ છોડો,કદીક ઉંચી એડીના શુઝ લો પહેરી,
  • ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.
  • લખો,વાંચો,સભાઓ ગજાવો,છોડો ચાડી કે ચુગલી,
  • ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.
  • ઘરકૂકડી ના બનો ,જુઓ દુનિયા છે કેવી નિરાળી,
  • ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.
  • ભગવાને આપ્યું છે,વાપરો ગમતી ખરીદી કરી,
  • ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.
  • સાડીનો એક ધારો પોશાક છોડો, પેન્ટ લો પહેરી,
  • ઓ કાકી તમે થોડાં થોડાં થાવ વરણાગી.
  • કિચનમાં બહુ રાંધ્યું , ખુબ ખવડાવ્યું બધાંને હેતથી,
  • ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.
  • કાકા થયા વરણાગી, શું કામ તમે ના થાઓ વરણાગી,
  • ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.
  • નવી ફેશનોની ધૂન જુઓ કેવી બધે લાગી !
  • ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી.
  • ભાઈ સાક્ષર ઠક્કરએ કાકાને વરણાગી બનાવી દીધા તો બિચારાં કાકીએ શું ગુનો કર્યો ! કાકીને પણ ન્યાય મળે એટલે “ ઓ કાકી તમે,થોડાં થોડાં થાઓ વરણાગી “ કાવ્ય રચવાની મને પ્રેરણા થઇ.
  • મંછીમા અભણ જરૂર હતાં પણ જમાનાને પચાવી ગયેલાં કોઠા ડાહ્યાં હતાં.તેઓ રક્ષાના ભાવ સમજી જાય છે અને એમનાથી કહ્યા વિના રહેવાતું નથી: “અલી,રુખલી,અમેરકા જઈને આવી એમાં તો બહુ બદલી જઈ ! ગાંમમાં હતી તારે માંથે ભેંસોનાં છાંણ ઉપાડી કાદેવ ખૂંદતી ખૂંદતી  ભાગોળે આવેલા ઉકરડે નાંખવા જતી’તી એ ભૂલી જઈ ! એ ટાણે તારાં આ બેક્ટેરિયાં ચ્યાં જ્યાં તાં !આંમ તમારું મૂળ ભૂલી જઈ પરદેશનાં મડમ ના બની જઈએ મારી બઈ !” આ પ્રસંગે રક્ષાએ જે વર્તાવ કર્યો એને ગામ લોકો એનું વરણાગીપણું માને તો એમાં નવાઈ નથી .
  • ગામથી એકાએક અમેરિકાના જુદા જ વાતાવરણમાં આવેલી ગામડાની આ ગોરી દસ વર્ષમાં તો અહીની રીત ભાત જોઈને પતિની મદદથી એની બોલી,પહેરવેશ અને રીત ભાતમાં અદભૂત બદલાવ અપનાવી લઈને “સંતુ રંગીલી” નાટકમાં આવે છે એમ જલ્દી  ઓળખાય નહી એવી “અમેરિકન મેડમ “બની જાય છે.
  • આવી સોચ સમજ આજુબાજુના વાતાવરણ ઉપર પણ આધાર રાખે છે .અમેરિકામાં જે સામાન્ય લાગતું હોય એ ભારતના કોઈ ગામડાના લોકોને વરણાગીપણું લાગે.દાખલા તરીકે અમેરિકામાં ઘણી બહેનો ગરમ ઋતુ હોય તો પોશાકમાં બદલાવ લાવી હાફ પેન્ટ પહેરે છે. હવે જો તમે ભારતની મુલાકાત લો અને પુષ્કળ ગરમી પડતી હોવા છતાં ભારતના કોઈ ગામમાં હાફ પેન્ટ પહેરીને બહેનો ફરે તો એને લોકો ત્યાં વરણાગીપણામાં ખપાવે અને ટીકાઓ પણ થાય .
  • જુના નાટકોમાં એક ગીત ગવાતું “એક સરીખા દિવસો બધાના સદા જાતા નથી “ .સમાજમાં પણ બધું એક સરખું હમેશાં રહેતું નથી .સમયે સમયે માણસોના પહેરવેશ ,જીવવાની રીતી નીતિ-ફેશન ,સોચ, સમજ  વિગેરેમાં ફેરફારો સદા થતા જ રહે છે.જે લોકો આજે વૃદ્ધ થયા છે એમને જૂની આંખે ઘણું નવું નવું જોવા મળતું હોય છે .નવી પેઢીને જે સામાન્ય જીવનનો એક ભાગ લાગે છે એ જૂની પેઢીને મન વરણાગીપણું લાગે છે.એમની જૂની સોચ સમજ પ્રમાણે એ નવી પેઢીના પોશાક ,રહેવાની રીત ભાત, નવી ફેશનો વિગેરેની ટીકા કરતા જોવામાં આવે છે .જેવું માનસ એવો જ માણસ.
  • તમે થાવ થોડા વરણાગી (૯)…… વિનોદ પટેલ
  • પદમાં-કાન
  • કરી ને તેણે મને સવાલ કર્યો કે આપે કઈ જાદુ કર્યું? મને પણ માન્યામાં નોતું આવતું કે એટલું જલ્દી પરિણામ આવી શકે છે!હું મનમાં થોડી ગભરાઈલી હતી એટલે રેકી કરી છે એવું મેં ના કીધું.મનમાં ખાત્રી  થઈ ગઈ.ને પછી તો એક પછી એક પેશન્ટ મને મળવા લાગ્યા,એમ કહું  એના કરતા કોઈ પોતાની તકલીફ વ્યક્ત કરે અથવા  કે તરત  જ તેની  વ્હારે દોડી જાઉં. હવે તો મારા પોત્ર પોત્રીને કઈ થાય કે તરત તેના મમ્મી પપ્પાને કહેશે કે બાને બોલાવને, રેકી કરુને રિલેક્ષ થઈ જાય.મને મનમાં આનંદ થાય.એક અતિ આનંદની વાત કહું.ન્યુજર્સીમાં રહેતા મારા ભાભી માદા પડ્યા.તેમણે મારી પાસે રેકી ની માંગણી કરી.મેં તેમને આપી. બાજુમાં અમેરિકન પેશન્ટ,તેણે પુછપરછ કરીને તેની મમ્મી માટે કરવા કહ્યું.થોડીવારમાં મારા ભત્રીજા જમાઈ ત્યાના ડોક્ટર હતા તે મારી સામે આવીને બેસી ગયા.ને કહ્યું ફઈબા મને પગમાં સખ્ત દુખાવો છે રેકી આપી દો.ડોક્ટર જયારે મારી સામે આવીને આવીરીતે વિનવણી કરે તો?ખરેખર મને ખૂબ આનંદ થયો.તે થોડા રિલેક્ષ થયા.એટલામાં મારી ભત્રીજી એ પણ ત્યાની ડોક્ટર જ છે તે આવી કે તરત તેને કહ્યું કે ફઈબા પાસે રેકી કરાવિ લે.તેને પણ ઢીચણમાં થોડી તકલીફ હતી.એટલામાં તેનો ૩૦ વર્ષનો ડોક્ટર દીકરો ત્યાં આવી પહોચ્યો. મારી ભત્રીજી અને આ ડોક્ટર દીકરા એ બન્નેએ મારી પાસે દીક્ષા લીધી હતી પણ તેમણે સાધના સમયના અભાવે નોતી કરી,તેમાં શ્રધ્ધા ખરી તેને પણ રેકી લીધી.ખરી મઝા તો તેની ફિયાન્સી આવી ત્યારે આવી તેને પણ પાનીમાં થોડુ  દુખતું હતું તેની પણ હસતા હસતા તેને પણ રિલેક્ષ  કરી .ખરેખર ખૂબ મઝા આવી. પહેલા હું પેશન્ટ શોધતી હતી,હેતુ કોઈની તકલીફ દુર કરી શકું.આવી જ રીતે મારા દાતના ડોક્ટર પાસે હું મારા દાતની ટ્રીટમેન્ટ માટે જતી હતી.વાતવાતમાં ખબર પડી કે ડોકટરના પગમાં મોચ આવી છે.તેમણે કઈ વાધો ન હોય તો તેમના પગે જોવાની મેં પરમીશન લીધી. તેમના પગે રેકીની સારવાર આપી ને તેઓ પગ આમતેમ હલાવતા મને થયું કે કઈ વધારે તો નથી થયું ને!તેને પૂછ્યું શું થયું?અને. તેમણે કહ્યું  કે pain is gonee. હું પણ રિલેક્ષ થઈ ગઈ.
  •  આજે હું મારી વાત કહેવા બેઠી છું તો મારા મનની વાત આપણી સમક્ષ રજુ કરી જ દઉં છું.મને બીના દવા ઉપચારમાં વધારે રસ છે.સેવા કરવાની ભાવના પણ ખરી.ને ભગવાને તેમાં મને મદદ કરી.એક પ્રાણાયામના ક્લાસ માં જતા મને ખબર પડી કે રેકી એવી થેરપી છે કે જેનાથી વગર દવાએ તમે સ્વસ્થ રહી શકો છો અને બીજાને પણ
  • .હવે મારી પોત્રી થોડી મોટી થઈ ગઈ હતી.ને તેને પણ નવુંનવું બનાવવાનો શોખ હતો. એક દિવસ તે પાસ્તા બનાવતી હ્તી મને  કહે કે બા તમે પાસ્તા ખાશો? હુ સરસ બનાવું છું.મેં કહ્યું કે ના બેટા હું કાંદા નથી ખાતી.પણ તેણે એટલા પ્રેમથી કીધું હતું કે તરત મારા મગજમાં બીજલી ચમકી કે જયારે આટલી નાની છોકરી મારા માટે આટલો પ્રેમ કરે છે ને હું જો તેના પાસ્તા નહી ખાઉં તો તે નારાજ તો થશે જ પણ કાયમના માટે અમારા વચ્ચેનું અંતર વધતું જશે. બસ કાલનો દિવસ ને આજની ઘડી.ના કહેવાનું મેં છોડી દીધું.હવે એમાંથી અમે બધા ફ્રી થઈ ગયા.ને હું ઇન્ડિયા ગઈને તો મારા બે દોહિત્ર એ પણ મને ખૂબ પ્રેમ કરે છે.બહાર લઈ જાયને નવા નવા ટેસ્ટ કરાવે.આ મોડ  પર હું બદલાઈ ગઈ ને જીન્દગીને એક નવો વળાંક મળ્યો. નકારાત્મકને તિલાંજલિ દીધી ને  સકારાત્મકને સ્થાપી દીધી ને  હુ વિચારોમાં બદલાવ લાવીને થોડી વરણાગી બની,બની એટલે વર્તમાનમાં બધા નાના મોટાની સાથે હું  જીવતા શીખી.બધાની સાથે સાથે ચાલવાનો આનંદ હું માણી શકી.પણ ખાવાપીવાનું કે પહેરવાથી તમે મોડર્ન નથી થઈ જતા.
  • દુનિયામાં આપણે દૃષ્ટિ કરીશું તો નાનાથી માંડીને દરેક ક્ષેત્રમાં બદલાવ આવી રહ્યો છે. પણ હું દુનિયાની વાત શા માટે કરી રહી છું?મેં મારા જીવનમાં ડોકિયું કર્યું ને એક એક પ્રશ્નના જવાબ મને મળતા ગયા.અમેરિકાની જાહોજલાલી જોઇને મન ખુશ થઈ જાય છે.પણ  રોજની જીવન ચર્યામાં ફીટ થવામાં આનાકાની થાય છેને મન દ્વિધામાં પડી જાય છે પહેલી વાર અમેરિકામાં આવ્યા. મારો દીકરો કહે કે અહીની મમ્મીની જેમ તું પેન્ટ પહેર.ઇન્ડીયામાં ક્યારેય સાડી સિવાય કઈ પહેર્યું જ ના હોય તો તો?થોડા જ દિવસ ગયા ને હું ચાલતા ચાલતા પડી ગઈ ને બન્ને હાથમાં પ્લાસ્ટર આવ્યું.હવે?હું એક નાના બાળક જેવી થઈ ગઈ.ફક્ત એપ્રન સિવાય હું કઈ પહેરી શક્તિ નોતી.ને હું પેન્ટ પર આવી ગઈ.આ ઉપરથી હું સમજી ગઈ કે જીવનમાં ફક્ત મરજિયાત પ્રમાણે નથી જીવાતું.ક્યારેક ફરજીયાત અપનાવવું પડેછે.કપડાનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો.
  • આધુનિકતા માટે ધગશની જરૂર છે.મનોવૈજ્ઞાનિક કહે છે તેના માટે  પોઝીટીવીટી જોઈએ ને તેમાંથી સમગ્ર માનવ જીવનના દરેક પાસામાં પ્રગતિ લાવે છે.ભગવાને આપણને બુધ્ધિ આપી છે તો તેના દ્વારા આપણે આપણામાં બદલાવ લાવીશું ને જમાનાની સાથે ચાલતા ચાલતા તેમનું એક અંગ બની જઈશું,ને તેનાથી આપણને ભરપુર આનંદ મળશે.
  • હવે તમે શીર્ષકને બરાબર સમજશો.”થોડા’શબ્દને આગળ કરીને આપણને જે કરો એ મર્યાદામાં રહીને કરો. “થોડા”એ શીર્ષકનો બીજો સંદેશ છે અહિયાં તમે થોડા થોભો આને તમે રેડ સિગ્નલ સમજી લેશો.થોડી સબૂરી બચાવે બુરી.અહિયાં તમે જે વયમાં છો ,જે પરિસ્થિતિમાં છો ,શારીરિક કે માનસિક ને ખિસ્સું? હલકું છે કે ભારે એનો તો પહેલા કરવો રહ્યો વિચાર નહી તો આવશે માથા ઉપર ભાર.વર એટલે શ્રેષ્ઠ ને ઉચું .આ બધાનો સમન્વય કરીને તમે જે પણ કરશો અથવા તો જે પણ અપનાવશો તે ખરેખર તમારા જીવનમાં નિશંક ચાર ચાંદ લગાડી દેશે. નહી તો વરણાગી માંથી વર જતો રહેશે  ને નાગી શબ્દ તમારા જીવનમાં રહી જશે.
  • માટીથી લીપી ગુપેલ ક્યાં ઝુપડીઓ ને ક્યાં હવે આધુનિક પદ્ધતિથી સજાયેલ ગગનચુંબી ઈમારતો આ પણ એક ફેશનનું પાસું ગણી  શકાય.આવા મકાનો બધા પાસે નહોય પણ  જમાનાની અતી આવશ્યક વસ્તુ મોબાઈલ એના વગર તો જાણે બધું અટકી ગયું.?હવે તો શાકભાજી વેચવાવાલોનો ધંધો  એના પર ચાલે છે ને આરામથી કમાણી કરી લે છે.નાનો માણસ હોય કે મોટો મુખ્ય પ્રધાન, સહુ કોઈનું આ એક જરૂરિયાત ઉપરાંત એ વરણાગી સો ટકા કહી શકાય.
  • આ નવા વર્ષના દિવસે અમે મંદીરમાં અન્નકૂટના  દર્શન કરવા ગયા.જાતજાતના પકવાન   જાતજાતના ફરસાણ .લીલો મેવો સુકો મેવો.શાક અને ફ્રુટને કલામય રીતે કાપીને , રંગના સુમેળ સાથે જુદી જુદી આકૃતિઓ બનાવેલી,અને રંગોળી પણ જાતજાતની ફૂલની ANAJNIEM  કઠોળની એમ ઘણી બધી વેરાયટી જોવા મળતા મન આનંદ વિભોર થઈ ગયું.ને સહુથી આશ્ચર્ય તોં અમેરિકન વાનગી “પીઝા” જોઇને થયું “ઓહ માય ગોડ” ભગવાનને પીઝા ખાવાનું મન થયું! હશે પિંડે  પિંડે મતિર્ભીન્ના, તેમજ દેશ વિદેશે રહેણી કરની સાથે વાનગી ભિન્ન. આપણા જીવનમાં શુષ્કતા આવે છે ત્યારે આ ભિન્ન ભિન્ન શબ્દ આપણને ભીનાભીના કરી નાખે છે.ને તાઝા માંઝા કરી દે છે,બત્રીસ પકવાનમાં પીઝાની જેમ. ભગવાનને જો પરિવર્તન ગમતું હોય તો આપણે પણ આપણામાં પરિવર્તન લાવીને જીવનને સુરમ્ય કા ન બનાવી શકીએ?
  • પણ જોજો ના જાય કાકી ભાગી એટલે બહુ નહિ,
  • ચીન્ગમ ચાવો ને કાકા છોડી દો પાનમાવો;
  • ભલે વર અને ઘોડો જાય ભાગી,
  • છોડી શરમ તમે બિન્દાસ નાચો હવે.
  • તમારા બાબાના જીન્સ પહેરો માંગી
  • કાકીની સાથે જઈ થોડું શોપિંગ કરો,
  • નવી ફેશનની ધૂન બધે લાગી
  • ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી
  • Rajesh Shah. કેલીફોર્નીયા​ ખાતે મળતી “બેઠક​”​​એ ​ સર્જકો ​ને ​ વરણાગી ​બનાવ્યા. બેઠકનું બળપ્રતાપભાઈ પંડ્યા,બેઠકનું સંચાલનપ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.રેડિયો પ્રસારણ જાગૃતિ શાહ શ્રોતા ગણકુંતાબહેન શાહ
  • જાગૃતીબેન શાહ
  • વસુબેન શેઠ
  • sound દિલીપભાઈ શાહ .
  • તસ્વીર રઘુભાઈ શાહ અને રાજેશભાઈ શાહ (news media )
  • વિશેષ મહેમાનમહેશભાઈ રાવલ,જયશ્રીબેન મર્ચન્ટ .
  • બેઠકનું આયોજનપ્રજ્ઞા દાદભાવાળા,
  •  તારીખ 27મી ​ફેબ્રુઆરી એ​ ​ગુજરાતી “બેઠક” ​ ​ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ​ ખાતે મળીઆ “બેઠક”માં ગુજરાતી ભાષા ​અને  પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ  અત્રે એકત્રિત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારણમાં છેલ્લા ઘણા વખતથી સક્રિય છે. પ્રયત્ન નાનો છતા માતૃભાષા માટેનો હૃદયપૂર્વકનો છે. “બેઠક “ની શરૂઆત રમેશભાઈએ પ્રભુ સ્તુતિ ગાઈ કરી​ત્યાર બાદ ​આ બેઠક માં જાણીતા ગઝલકાર ડૉ. મહેશ રાવલના ગઝલ સંગ્રહ “ખરેખર “નું વિમોચન જયશ્રીબેન મર્ચન્ટના શુભ હસ્તક થયુંજયશ્રીબેને મહેશભાઈ નો પરિચય આપતા કહ્યું કે મમહેશભાઈ ખુબ ઉચા ગજાના કવિ છે એમણે માત્ર સર્જન નથી કર્યું પરંતુ ગઝલ જીવ્યા છે,છંદ બંધ લખવું એ પણ એક કળા છે અને મહેશભાઈ એ કળા ને પામ્યા છે.​ત્યારબાદ ​​મહેશભાઈ એ પોતાની ગઝલ ની રજૂઆત કરી પ્રેક્ષકો ને પુસ્તકથી પરિચિત કરાવ્યા. પ્રજ્ઞાબેને મહેશભાઈને બેઠક વતી  શુભેચ્છા ​આપતા જણાવ્યું કે ગુજરાતી સાહિત્યને વિકસાવામાં  અને જીવંત રાખવામાં આ આપનું આ ઘણું મોટું યોગદાન છે  આપના કલમની શાહી ક્યારેય ન સુકાય આપ હંમેશા લખતા રહો અને અમને તેનો લાભ મળે વ્યક્તિગત આપની હાજરીથી આ બેઠક શોભે છે ,અને “બેઠક”ના લેખકો ને સદાય આપનું માર્ગદર્શન મળે એવી શુભકામના ત્યારબાદ​ વિષયને અનુરૂપ ​”ગુણસુંદરી​”ચિત્રપટ નું ગીત “ભાભી તમે થોડા થોડા થવા વરણાગી” જયશ્રીબેને સુંદર રીતે રજુ કરી વાતાવરણ ને સંગીતમય બનાવ્યું.એક​ ​પછી એક સર્જક એ પોતાની વરણાગી વિષય પર રજૂઆત કરી,વિષય ને અનેક જુદા દ્રષ્ટિકોણથી માણ્યો ,કોઈએ કવિતા લખીને તો કોઈએ જીવન ના પોતાના અનુભવ થી વિષયને દર્શાવ્યો​.સૌથી મહત્વની વાત એ હતી કે રાજેશભાઈ,માધુરીકાબેન,પદ્માબેન જાગૃતિ કુંતાબેનઅને બીજા અનેકે  વિષય અનુરૂપ વરણાગી વેશભૂષા કરી  અને પ્રસંગને ખીલવ્યો,   એટલું જ નહિ ​ વસુબેન શેઠે ખુબ સુંદર શણગાર સજીને ​લટકાં મટકા સાથે ​પોતાના જ જીવનનો પ્રસંગ ​ની રજૂઆત કરી ​ ત્યારે એક સુંદર વાત કહી કે ફેશન એ મને આત્મવિશ્વાસ અપાવ્યો છે જરૂર પણ આ ​બધામાં ​ વિચારો નું વરણાગીપણું વધારે મહત્વનું હતું. …હું જે સર્જન કરું એજ ફેશન એ  મારી સર્જન શક્તિથી હું વિકસું છું એ વાત મને પાકી થઇ ગઈ  પ્રક્ષકોએ  તેમને તાળીઓ થી વધાવ્યાથોડા થાવ વરણાગી ,દેખીતો સાદો વિષય ઘણી ઊંડી વાત સમજાવી ગયો લોકોને વિચાર કરતા કર્યા આધુનિક ઉપકરણો હોય કે કપડા હોય,ખાણી પીણી હોય કે વિચારો જૂનું ત્યજી પ્રેમથી અપનાવો. પરિવર્તન સ્વીકારી જે આગળ વધે તેજ વિકસી શકે છે.વરણાગીપણું એટલે  માત્ર ફેશન નહિ વરણાગીપણું એટલે પરિવર્તનઅને બદલાવ. આધુનિકતા અને આછકલાઈ વચ્ચે પણ ભેદ છે. આ વાત કલ્પનાબેને સુંદર સમજાવતા કહ્યું કે જે આ પારદર્શક સીમાને પારખે છે એ સદાય વરણાગી રહે છે​ ​તો ​સાથે ઉમેર્યું ​ “બેઠક” સદાય  નવીન વિષયને લઈને આવી છે. આ પણ બેઠક નું વરણાગીપણું છે.​, ,રાજેશભાઈ શાહે પણ  અનેક જાણીતા લેખક ના દષ્ટાંત આપી વિષયને ન્યાય આપ્યો તો દર્શનાબેન​ ​​ ​સુંદર ​વાર્તાના ​ દષ્ટાંત આપી કહ્યું કે દેખાતા વરણાગી સમાજમાં શું આપણે ખરેખર વરણાગી છીએ ?કે વાસ્તવિક જીવનમાં શું આપણે બદલાવ ને સ્વીકારી એ છીએ ?આ એક આજની પેઢી ને તીખો કટાક્ષ હતો !નિહારિકા બહેને આધ્યાત્મિક વિષયમાં વરણાગીપણા ની ઝલક દેખાડી તો માંધુરીકાબેને અને પદ્માબેને કહ્યું કે નવું સ્વીકારી આપણે બે પેઢીના અંતર ને ઓછુ કરીએ છીએ અને ​દેવયાની ​બહેને તો વગર તૈયારી સાથે વરણાગીપણા ની પરિભાષા સમજાવી દીધીતો જાગૃતિ એ સુંદર દાખલો આપ​તા ​ જણાવ્યું કે વરણાગી વિચારો ને જ્યાં સુધી અમલમાં નહિ મુકો ત્યાં સુધી આ માત્ર વિચાર છેઆપણે બધાને બદલાવ ની જરૂર છે,વાત કરવાથી કહી નહિ વળે.શબ્દોના સર્જન પર આવેલી અમુક કૃતિને બેઠકમાં વાંચી સંભળાવતા, આમ હાજર ન રહેલા લેખકો એમની હાજરી પુરાઈ. અંતમાં પ્રજ્ઞાબેને વિષયને આવરી લેતા પોતાના જીવનનો એક અનુભવ જણાવતા સમજાવ્યું કે માણસે બ્રાન્ડેડ કપડા પહેરવાની પળોજણ છોડી પોતાની બ્રાંડ બનાવવી જોઈએ ત્યાં જ વરણાગી પણું છે. સમય મુજબ સહજ રીતે ઓગળવુંઅને સહજ રીતે નવું અપનાવો ત્યાં જ તમે બદલાવ છો​ ​અને કહેવાય છે અમે થયા વરણાગી .આમ​ ​વ્યવહારુ જીવન માટે સુંદર સંદેશ..​આ નવો વિષય “બેઠક” લઈને આવ્યો અને સર્જકો અને પ્રેક્ષકો સહજ વિકસ્યા ​​ ​અને  ​નવા વિચારો સાથે બેઠકના દરેક સર્જક અને પ્રેક્ષક વરણાગી થયા. પદ્મામાંસીએ કલ્પનાબેન ને અને દિલીપભાઈને જન્મદિવસની શુભેચ્છા આપી વધાવ્યા અંતમાં સૌએ દિલીપભાઈના જન્મદિવસની કુંતાબેને બનાવેલી ખીર માણી  છુટા પડ્યા.
  •  
  • બેઠક નો અહેવાલ – થાવ થોડા વરણાગી