૩૦મી જાન્યુઆરી ૨૦૧૬ એટલે મહાત્મા ગાંધીએ દેશ માટે આપેલી શહીદીની ૬૮મી સંવત્સરી .
આજથી ૬૮ વર્ષ પહેલાં ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ ની એ ગોઝારી સાંજે દિલ્હીમાં બિરલા હાઉસના પ્રાર્થના સભાના સ્થળે એક ધર્મ ઝનૂની હિંદુ ગોડસેના હાથે ગોળીબારનો શિકાર બની ગાંધી દેશ માટે શહીદ થઇ ગયા .
એમની શહીદીના દિવસે એમને યાદ કરીએ અને વંદન સાથે શ્રધાંજલિ આપીએ.
વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શો એ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –
“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખી માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.
ગાંધી ખરેખર કોઈ નોખી માટીથી બનેલી વિભૂતિ હતા.પોરબંદરમાં જન્મેલ મોહનદાસ કરમચંદ ગાંધી નામના સામાન્ય માનવીમાંથી જીવન ભર સત્યના પ્રયોગો કરતા કરતા તેઓ મહાત્મા ગાંધી બની ગયા હતા.
મહાત્મા ગાંધીનું વ્યક્તિત્ત્વ કેવું અનોખું હતું એ એમના જીવન ના નીચેના ત્રણ પ્રસંગોમાંથી જોઈ શકાય છે.
ગાંધીજી…
View original post 684 more words