નમસ્કાર
આપને જણાવતા ખુશી થાય છે કે પ્રતિલિપિ તેનું પોતાનું ટૂંકીવાર્તાનું ‘સંકેત’ નામે એક માસિક સામયિક શરૂ કરી રહ્યું છે. આ સામયિક માટે આપ પાસેથી આપની પ્રકાશિત કે અપ્રકાશિત વાર્તાઓ મંગાવવામાં આવે છે. વાર્તા મોકલવા માટે શબ્દની મર્યાદા ૧૦૦૦-૧૫૦૦ શબ્દની રહેશે. એટલે કે ૧૦૦૦શબ્દથી ઓછા નહીં અને ૧૫૦૦શબ્દથી વધારે નહીં. આ ઉપરાંત વાર્તાની પસન્દગીમાં જોડણી અને વાક્ય રચના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
આપે આપની રચનાઓ અમને આવતા મહિનાની ૩જી તારીખ (૩ ઓગસ્ટ) સુધીમાં મેઇલથી વર્ડ ફાઈલમાં યુનિકોડ ફોન્ટમાં મોકલી આપવાની રહેશે.
મેઇલના વિષયમાં સંકેત લખવાનું રહેશે.
આશા છે કે આપ સૌનો સહકાર અમને મળશે.
આભાર
નિમિષા દલાલ
મો. ૯૯૨૫૬ ૨૪૪૬૦
ટીમ પ્રતિલિપિ