શેઠ રમણનાથ રૂંગટા ખુન કેસ બહુજ વિવાદાસ્પદ ખુન કેસ હતો.પાર્ટનર વાસુદેવ શર્મા ઉપર ખુન કર્યાનો આરોપ હતો.વાસુદેવ શર્માના બ્યાન મુજબ એ નિર્દોષ હતા પણ પોલીસને મળેલા પુરાવા તેમને દોષિત વધુ અને નિર્દોષ નહીવત સાબિત કરતા હતા. ઑટોપ્સી રિપોર્ટ મુજબ ખુન ૯.૦૦ વાગે થયું હતું જયારે વાસુદેવ શર્મા શેઠ રમણનાથના બંગલે ૯.૩૦ કલાકે આવ્યા હતા.વિધુર અને નિઃસંતાન શેઠ સાથે તેમનો એકજ નોકર દિનાનાથ રહેતો હતો.બજારમાંથી સામાન લાવેલ દિનાનાથે શેઠ રમણનાથનું શબ અને વાસુદેવ શર્માની હાજરી બન્નેાને સાંકળી લીધા હતા. Continue reading





